મોરબીના નાની વાવડી ગામે દશામાં ના દર્શનાર્થે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ
મોરબીના ગ્રાહકને મેડિકલ સારવારનો વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ
SHARE
મોરબીના ગ્રાહકને મેડિકલ સારવારનો વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ
મોરબીના વતની ક્રિષ્નાબેન ચિરાગભાઇ અઘારાએ ફેમીલી સાથે ટ્રાવેલીંગ કવર પ્રા.લી. ધ્વારા માલ દિવ જવાની ટુરમાં જોડાયેલ ગ્રાહકે મેડીકલ વીમો એકો એગ્રો જનરલ ઇન્સ્યુરન્સ પાસેથી વીમ લીધેલ હતો અને માલ દિવમાં કોરોના થતાં હોસ્પીટલમાં દાખલ થવું પડયુ હતું અને તેની સારવારના બિલ વીમા કંપનીમાં રજુઆત કરેલ છે અને વીમા કંપનીએ વીમા આપવાની ના પડી હતી જેથી કરીને મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા ધ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ હતી
ત્યારે ગ્રાહકે માલ દિવ જવા માટે કોરોના રીપોર્ટ આર.ટી.પી.સી.આર. કરાવેલ અને ટ્રાવેલ્સ કાં. ઇન્ડીગો એરલાઇન્સ મારફત લઇ ગયેલ હતા હવે પરત ફરતા માલ દિવ સરકારની કોરોના ગાઇડ લાઇન પ્રમાણે ગ્રાહકે કોરોના પોઝેટીવ આવેલ હતો તેના નિયમ મુજબ સાત દિવસ કોરોન્ટાઇન રહેવુ ફરજીયાત છે. તેથી તે અલગ રૂમમાં સાત દિવસ રોકાયેલ હતા અને ડો. મહંમદ અબ્બાસની હોસ્પીટલનું બીલ ૨૭૫૦ ડોલર એટલે કે ૧,૭૭,૮૯૧ તે રકમ એકો એગ્રો જનરલ ઇન્સ્યુરન્સ ક્રિષ્ના બેનને તા.૨૨/૧૨/૨૦૨૨ થી ૭ ટકાના વ્યાજ અને ૭૦૦૦ સાત હજાર માનસીક ત્રાસ અને ૩૦૦૦ ત્રણ હજાર ખર્ચના સાથે વીમા કંપનીને ચુકવવાનો હુકમ કરેલ છે.