મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં મર્ડરના ગુનામાં તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાયા


SHARE













મોરબીમાં મર્ડરના ગુનામાં તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાયા

મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી મર્ડરના ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો કોર્ટે હુકમ કરેલ છે.

મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે, ફરિયાદીના ભાણેજની પત્ની સાથે આરોપી મનસુખ ખીમાભાઈને આડા સંબંધ હોય જેથી ફરિયાદીનો ભાણેજ (મરણ જનાર) આરોપીના ઘરે બોલાવવા જતા અન્ય આરોપીઓએ ફરિયાદીના ભાણેજને પકડી ઢીકાપાટુનો માર મારીને છાતીમાં છરીનો ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું.જે બનાવ બાબતે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓ મનસુખ ખીમાભાઈ, જયશ્રીબેન મનસુખભાઈ અને સામજીભાઇ ખીમાભાઈની ધરપકડ કરી હતી.

સદરહું કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપી તરફેથી યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચણીયા રોકાયેલ હતા જેમાં ફરિયાદી પક્ષે ફરિયાદી અને અન્ય સાહેદો તથા પંચો અને ડોક્ટર, તપાસ કરનાર અધિકારી વિગેરેની જુબાનીઓ લેવામાં આવી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વિપરીત હકીકત જણાવેલ છે તેમજ અન્ય સ્વતંત્ર સાહેદો તેમના મૌખિક પુરાવાઓમાં ફરિયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનોને સમર્થન આપેલ નથી કોર્ટે બંને પક્ષકારોની તમામ દલીલો ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચણીયાની દલીલો માન્ય રાખીને કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.ઉપરોકત કેસમાં આરોપી તરફેથી એડ.જીતેન અગેચણીયા, સીનીયર એડવોકેટ દિલીપ અગેચણીયા, ભુવનેશભાઈ શાહી, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર, હિતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડિયા અને રવિ ચાવડા રોકાયેલ હતા.






Latest News