મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બે પરણીતાને સાસરિયાનો ત્રાસ: જુદાજુદા બે ગુના નોંધાયા


SHARE













મોરબી જીલ્લામાં બે પરણીતાને સાસરિયાનો ત્રાસ: જુદાજુદા બે ગુના નોંધાયા

મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે વિસ્તારમાં રહેતી મહિલાઓએ તેના પતિ સહિતના સાસરીયાઓની સામે શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની અને મારકૂટ કરતાં હોવાની ફરિયાદ નોંધાવેલ છે જે બાબતે પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રપરા શેરી નં- ૨૧ રમાં માવતરના ઘરે રહેતા પરવીનબેન અકરમભાઈ સુતાર (૩૦) નામની પરણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ અકરમભાઈ આરીફભાઈ સુતાર, સાસુ નસીમબેન આરીફભાઈ સુતાર, નણંદ મુસ્કાનબેન આરીફભાઈ સુતાર અને સોફિયાબેન રમજાનભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને ઘરકામ બાબતે અને નાની નાની વાતમાં મેણાટોણા મારવામાં આવતા હતા અને મારકૂટ કરીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિતનાઓની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના રહેવાસી અને હાલમાં વાંકાનેરના લાલપર ગામે માવતરના ઘરે રહેતા ગુલનાઝબેન વસીમભાઈ ખોરજીયા જાતે મોમીન (૨૪)એ તેના પતિ વસીમભાઈ યુસુફભાઈ ખોરજીયા અને સસરા યુસુફભાઈ અમીનભાઈ ખોરજીયા રહે બંને ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અવારનવાર નાની-નાની બાબતોમાં તથા કરિયાવર ઓછો લાવી છો તેમ કહીને મેણા ટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને ફરિયાદીના પતિને ખોટી ચડામણી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં પરિણીતએ નોંધાવેલ ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બંને બનાવની આગળની વધુ તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ. લગધિરકા ચલાવી રહ્યા છે






Latest News