મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારીની નજર ચુકવીને અજાણી યુવતી રોકડા રૂપિયા ૩.૩૦ લાખ ચોરી ગઈ


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે વેપારીની નજર ચુકવીને અજાણી યુવતી રોકડા રૂપિયા ૩.૩૦ લાખ ચોરી ગઈ

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે હળવદ રોડ ઉપરના શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા દુકાનદાર પોતાની દુકાનની બહાર ટાયર-ટ્યુબ ગોઠવી રહ્યા હતા.તે દરમિયાનમાં વેપારીની નજર ચુકવીને અજાણી યુવતી ટેબલની ઉપર રાખેલ થૈલામાં રહેલા રોકડા રૂા.૩.૩૦ લાખ ચોરી ગઈ હોવાની ફરિયાદ દુકાનદાર દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધીને ચોરી કરી ગયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ સમયના ગેઇટની પાસે આવેલા રૂદ્રાભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા અને મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રસ્તે પ્રકૃતિ સોસાયટીના ગેઇટની સામે પટેલ ટાયર હબ નામે દુકાન ચલાવી ધંધો કરતા જેનીલભાઈ અશ્વિનભાઈ આદ્રોજા જાતે પટેલ (ઉમર ૨૬) દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત તા.૨૦-૮ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેઓ દુકાને હતા અને દુકાન ખુલી હતી.ત્યારે તેઓ દુકાનની બહાર ટાયર ગોઠવી રહ્યા હતા.તે સમય દરમિયાન દુકાનદારની નજર ચૂકવીને આવેલ અજાણી યુવતી દ્વારા તેઓના ટેબલની ઉપર રાખવામાં આવેલા થૈલામાં રહેલ રોકડા રૂા.૩.૩૦ લાખ ચોરી જવામાં આવ્યા છે.હાલ ચોરીની ઉપરોક્ત ઘટનામાં ભોગ બનેલા જેનીલભાઈ આદ્રોજાએ લખાવેલી ઉપરોક્ત ફરિયાદ આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૩૮૦ મુજબ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની આગળની તપાસ જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રહેતા અરવિંદભાઈ શંકરભાઈ હળવદિયા નામના ૫૦ વર્ષના આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતા અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અરવિંદભાઈ હળવદિયા માળીયા હાઇવે ઉપરના નાગડાવાસ ગામ નજીકથી રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકના ચાલકે રીક્ષા સાથે ટ્રક અથડાવતા અરવિંદભાઈને ઇજાઓ પહોંચી હતી જેથી ૧૦૮ વડે તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હાલ તાલુકા પોલીસ મથકે ઉપરોક્ત અકસ્માત બનાવની નોંધ થતા બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમારે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News