હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સાવરણી બનાવવાના ૨.૨૦ લાખના ઘાસના ૬૮ કટ્ટાની ચોરી, ગણતરીના કલાકમાં બે શખ્સોની ધરપકડ


SHARE





મોરબીમાં સાવરણી બનાવવાના ૨.૨૦ લાખના ઘાસના ૬૮ કટ્ટાની ચોરી, ગણતરીના કલાકમાં બે શખ્સોની ધરપકડ

મોરબીના વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા વેપારીના વંડામાંથી ઘાસના ૬૮ કટ્ટાની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને વેપારી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ૨.૨૦ લાખના મુદ્દામાલની ચોરી કરી હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં અનવરભાઈની ચક્કીની બાજુમાં રહેતા મુજીબખાન નજરમહમદખાવ પઠાણ (ઉમર ૫૦) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિઝામભાઈ હૈદરભાઈ જેડા રહે.વીસીપરા મોરબી વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીની મદીના સોસાયટીમાં આવેલ તેઓના વંડામાં રાખેલ સાવરણી બનાવવા માટેના ઘાસના ૬૮ કટ્ટા જેની કિંમત ૨.૨૦ લાખના મુદામાલની ચોરી કરેલ છે.જેથી પોલીસે ગુનો નોંધીને આરોપી નિજામભાઈ હૈદરભાઈ જેડા જાતે મિંયાણા (ઉમર ૩૦) રહે.મદીના સોસાયટી વીસીપરા મોરબી અને પુનભાઇ લક્ષ્મણભાઈ વાઘેલા (ઉમર ૫૦) રહે.શાંતિવન સોસાયટી વીસીપરા મોરબી વાળાઓની હેડ કોન્સટેબલ એચ.એમ.મકવાણાએ ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટીયા પાસે અચાનક તબિયત લથડી જતા અરવિંદ હરજીભાઈ કોળી (ઉમર ૨૨) રહે.કચ્છ વાળાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.સિવિલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા પહોંચીને આ બનાવની આગળની તપાસ કરવામાં આવી હતી.
 
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ પાસે કેનાલ નજીક બાઇક સ્લીપ ખાઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રંગપર ગામ પાસે કેનાલ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા ગીરીરાજસિંહ ઇન્દ્રજીતસિંહ રાઠોડ (ઉમર ૪૦) રહે.અરૂણોદયનગર ઉમા ટાઉનશીપ પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાને ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.જયાંથી બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.



Latest News