મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાવરણી બનાવવાના ૨.૨૦ લાખના ઘાસના ૬૮ કટ્ટાની ચોરી, ગણતરીના કલાકમાં બે શખ્સોની ધરપકડ


SHARE







મોરબીમાં સાવરણી બનાવવાના ૨.૨૦ લાખના ઘાસના ૬૮ કટ્ટાની ચોરી, ગણતરીના કલાકમાં બે શખ્સોની ધરપકડ

મોરબીના વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા વેપારીના વંડામાંથી ઘાસના ૬૮ કટ્ટાની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને વેપારી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ૨.૨૦ લાખના મુદ્દામાલની ચોરી કરી હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં અનવરભાઈની ચક્કીની બાજુમાં રહેતા મુજીબખાન નજરમહમદખાવ પઠાણ (ઉમર ૫૦) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિઝામભાઈ હૈદરભાઈ જેડા રહે.વીસીપરા મોરબી વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીની મદીના સોસાયટીમાં આવેલ તેઓના વંડામાં રાખેલ સાવરણી બનાવવા માટેના ઘાસના ૬૮ કટ્ટા જેની કિંમત ૨.૨૦ લાખના મુદામાલની ચોરી કરેલ છે.જેથી પોલીસે ગુનો નોંધીને આરોપી નિજામભાઈ હૈદરભાઈ જેડા જાતે મિંયાણા (ઉમર ૩૦) રહે.મદીના સોસાયટી વીસીપરા મોરબી અને પુનભાઇ લક્ષ્મણભાઈ વાઘેલા (ઉમર ૫૦) રહે.શાંતિવન સોસાયટી વીસીપરા મોરબી વાળાઓની હેડ કોન્સટેબલ એચ.એમ.મકવાણાએ ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટીયા પાસે અચાનક તબિયત લથડી જતા અરવિંદ હરજીભાઈ કોળી (ઉમર ૨૨) રહે.કચ્છ વાળાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.સિવિલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા પહોંચીને આ બનાવની આગળની તપાસ કરવામાં આવી હતી.
 
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ પાસે કેનાલ નજીક બાઇક સ્લીપ ખાઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રંગપર ગામ પાસે કેનાલ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા ગીરીરાજસિંહ ઇન્દ્રજીતસિંહ રાઠોડ (ઉમર ૪૦) રહે.અરૂણોદયનગર ઉમા ટાઉનશીપ પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાને ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.જયાંથી બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.





Latest News