મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

રાખડી બાંધવા-જનોઈ બદલાવવા મોરબીના ભાગવતાચાર્યનું સચોટ માર્ગદર્શન


SHARE













રાખડી બાંધવા-જનોઈ બદલાવવા મોરબીના ભાગવતાચાર્યનું સચોટ માર્ગદર્શન

શ્રાવણ મહિનામાં બહેનો તેના ભાઈને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતી હોય છે અને તેની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે આ તહેવારની દરેક બહેન રાહ જોતી હોય છે ત્યારે રક્ષાબંધન માત્ર ને માત્ર રાખડી બાંધવાનો જ તહેવારો નથી પરંતુ બ્રાહ્મણો માટે પણ મોટામાં મોટો તહેવાર શાસ્ત્ર મુજબ ગણવામાં આવેલ છે

મોરબીમાં રહેતા જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય અને ભાગવતાચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યાએ જણાવ્યુ છે કેબ્રાહ્મણો રક્ષાબંધનના દિવસે શ્રાવણી ઉપાકર્મ યજ્ઞોપવિત બદલવી એટલે કે જનોઈ બદલાવે છે ત્યારે જનોઈ બદલાવવાના સમયને લઈને ગળમથલ ત્યારે થાય જ્યારે શુભ મુહૂર્તો ગોતવાની તાલાવેલી લાગે આ વખતે રક્ષાબંધન ૩૦/૮/૨૦૨૩ બુધવારે કે ૩૧/૮/૨૦૨૩ ગુરુવાર તેને લઈને લોકોમાં ચર્ચા છે ત્યારે રક્ષાબંધનનો દિવસે ભદ્રા આવે છે ત્યારે સવાલ એ ઊભો થાય કે રાત્રે તો કંઈ થોડી રાખડી બંધાય” એનો સચોટ અને શાસ્ત્ર મુજબ જવાબ શ્રાવણ સુદ ૧૩ ને મંગળવારના તા.૨૯/૮/૨૩ ના રોજ શ્રવણ નક્ષત્ર આવે છે. જે સૂર્યોદયથી રાત્રે ૧૧:૫૦ સુધી છે. બીજે દિવસે શ્રાવણ સુદ ચૌદશના બુધવાર તા.૩૦/૮/૨૩ ના રોજ ચૌદશ તિથિ સવારે ૧૦:૫૯ સુધી છે. પૂર્ણિમા તિથિ સવારે બેસી જાય છે હવે શ્રવણ નક્ષત્ર ન મળે તો શ્રાવણી કરવી યોગ્ય છેજનોઈ બદલવા માટે ઊપાકર્મ કરવા માટે નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ પ્રમાણ આપે છે જનોઈ બદલાવવા માટે શ્રવણ નક્ષત્ર જો પૂર્ણીમાં તિથિમાં મળે તો શ્રેષ્ઠ પરંતુ જો પૂર્ણિમા તિથિમાં મધ્યાનકાલમાં શ્રવણ નક્ષત્ર ન હોય તો પૂર્ણિમા તિથિનો મધ્યાનકાલીન સમય શ્રાવણ સુદ ચૌદશના બુધવાર તા.૩૦/૮/૨૩ ના રોજ ચૌદશ તિથિ સવારે ૧૦:૫૯ સુધી છે. જેથી ત્યારબાદ પૂર્ણિમા તિથિ સવારે બેસી જાય છે જેથી મધ્યાન સંધ્યા થયા બાદ જનોઈ બદલાવવા માટે ૧૦:૫૯ પછી જ શ્રેષ્ઠ મુહૂર્ત છે. અને રાખડી ક્યારે બાંધવી ? ભદ્રાકાલમાં રક્ષાબંધન ન કરવું ભદ્રાકાલમાં રાખડી ન બાંધવી આવું એક વચન છેલ્લા પાંચેક વર્ષ થયા સાંભળીએ છીએ પરંતુ બ્રાહ્મણો માટેનું બ્રહ્મસૂત્રએ ઘણું અગત્યનું છે એવી જ રીતે રક્ષા સુત્ર પણ અતિ મહત્વનું છે ત્યારે તા.૩૦/૮/૨૩ બુધવારના રોજ સવારે ૧૦:૫૯ પછી પૂર્ણિમા હોવાથી બુધવારના જ રક્ષાબંધન રાખડી બાંધી શકાય છે






Latest News