મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

ઉધારમાં માલ આપતા વેપારીઓ સાવધાન : મોરબીના અનેક કારખાનેદારોને વેપારીએ માર્યુ લાખો રૂપિયાનું બુચ


SHARE





ઉધારમાં માલ આપતા વેપારીઓ સાવધાન : મોરબીના અનેક કારખાનેદારોને વેપારીએ માર્યુ લાખો રૂપિયાનું બુચ

મોરબી પંથકમાં ૧૦૦૦ થી વધુ નાના-મોટા સીરામીકના એકમો આવેલા છે અને એકમેકની ગળાકાપ આંતરિક હરિફાઈમાં ઘણીવાર સીરામીક કારખાનેદારો દ્વારા માલ ઉધારમાં આપવામાં આવતો હોય છે અને દેશની અંદર તથા દેશની બહાર ઉધારમાં આપવામાં આવતા માલમાં અનેક વખત કારખાનેદારોએ છેતરાવાનો વારો આવે છે.તેઓ જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મોરબીના નવ જેટલા કારખાનેદારોએ ચૈન્નઇના જે વેપારીને ઉધાર માલ આપ્યો હતો.તે વેપારીએ હાથ ઊંચા કરીને નાદારી નોંધાવતા હાલ કારખાનેદારોએ તેની સામે પૈસા વસૂલવા માટે કોર્ટ રાહે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.તેમજ ચેન્નાઈના વેપારીએ ચેન્નાઈ કોર્ટમાં નાદારી માટે અરજી કરેલ તે વેપારી નાદાર થવા માટે યોગ્ય પુરાવાઓ રજુ ન કરી શકતા નામદાર કોર્ટે તે વેપારીની નાદરી માટેની અરજી રીજેક્ટ કરી હોવાનું જાણવા મળેલ છે.


આ અંગે વધુમાં મળતી માહીતી મુજબ મોરબી સિરામિક ટાઈલ્સની નવ જેટલી ફેક્ટરી પાસેથી લાખોનો માલ ઉધાર લઈને ચેન્નાઈના રોયલ એન્ટરપ્રાઈઝ નામના વેપારી જાવેદ અહેમદ દ્વારા ચેન્નાઈ સીટી સિવિલ કોર્ટમાં નાદાર થવા અરજી કરતા જેમાં નાદાર થવા માટેના વેપારીએ કોર્ટમાં મુખ્ય કારણો દર્શાવ્યા હતા જેવા કે વેપારીએ ખરાબ ગુણવત્તાવાળી ટાઈલ્સનું વેચાણ કરવામાં આવેલ હોવાથી, વર્ષ ૨૦૧૫ માં ચેન્નાઈમાં પુર પ્રકોપ, હોનારત આવેલ હોવાથી ટાઈલ્સનો જથ્થો ખરાબ થઇ ગયો હોવાથી, ટાઈલ્સના ધંધામાં આર્થિક મંદી આવેલ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવેલ હોવાથી ધંધામાં નુકશાન થયું છે અને શાહુકારો પાસેથી ૧૫ ટકા વ્યાજે રૂપિયા લઈને ધંધો કરવાની ફરજ પડી છે અને મોરબીના ટાઈલ્સના વેપારીઓ ફોન કોલ દ્વારા, પત્ની અને સ્કૂલે જતા બાળકો તેમજ વેપારીઓ દ્વારા ગુંડાઓ મોકલતા હોવાને કારણે વારંવાર ધમકીઓ આપતા હોવાથી નાદારી અરજી કરવાની ફરજ પડી છે.

જે કેસમાં મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાની સેગમ ટાઈલ્સ પ્રા.લી. ના એડવોકેટ રમેશ બી.દાવડા દ્વારા ચેન્નાઈ સીટી સિવિલ કોર્ટમાં લેખિતમાં રજૂઆત કરી નામદાર કોર્ટને જણાવ્યું હતું કે કંપની પાસેથી હાલના અરજદાર વર્ષ ૨૦૧૯ માં ઉધાર માલ ખરીદ કરેલ જેમાંથી ૫૦ ટકા રકમ જેવું પેમેન્ટ આપી બાકીની રકમ ચેક દ્વારા પૂરી કરીશું જે ચેક બેંકમાં વસુલવા માટે નાખેલ જે રીટર્ન થતા વેપારીને નોટીસ આપી હતી.જે નોટીસના જવાબમાં તેના વકીલ જી.દયાશંકર મારફત જવાબ મોકલવામાં આવ્યો હતો અને છ મહિનામાં ચેક મુજબની રકમ પૂરી કરી આપીશું તેવું નોટીસમાં જણાવ્યું હતું.

સમય થતા રોયલ એન્ટરપ્રાઈઝ સામે મોરબી કોર્ટમાં ૧૩૮ મુજબનો કેસ દાખલ કરેલ હોય જે મેટર આરોપીના વોરંટ પર હોય જેથી હાલના સ્ટેજે અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજી ચાલવાપાત્ર કે ટકવાપાત્ર ના હોય જેથી રજૂઆત સાંભળી ચેન્નાઈ સીટી સિવિલ કોર્ટના જજ સચ્ચીદાનંદ સાહેબ દ્વારા અરજદાર દ્વારા નાદાર થવા અંગેના કોઈ લેખિત પુરાવા રજુ ન કરી સકતા કોર્ટે નાદારી અરજી રીજેક્ટ કરી છે.જે કેસમાં સેગમ ટાઈલ્સ મોરબી વત એડવોકેટ રમેશ બી.દાવડા, ડી.કે.શેઠ અને પુનમબેન ગોસ્વામી રોકાયેલ હતા.




Latest News