મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા-બેલા ભંગાર રોડે અકસ્માત થાય તો જવાબદાર કોણ: સિરામિક એસો.


SHARE













મોરબીના ખોખરા-બેલા ભંગાર રોડે અકસ્માત થાય તો જવાબદાર કોણ: સિરામિક એસો.

મોરબી સીરામીક ઝોનમા ૮-એ નેશનલ હાઈવેથી સ્ટેટ હાઇવે પીપળી રોડ જવા માટેનો ખોખરા-બેલા રોડ છે ત્યા આશરે ૩૦૦ સીરામીકના કારખાના આવેલ છે તે રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી કરીને ઉદ્યોગકારો સહિતના લોકોને હેરાન થવું પડે છે જેથી તંત્ર ક્યારે આ રોડની સમસ્યા દુર કરશે તેવો સવાલ મોરબી સિરામિક એસો. દ્વારા સવાલ કરવામાં આવેલ છે

મોરબીનો ખોખરા-બેલા રોડ ઉપર માસ મોટા ખાડા છે જેથી કરીને અનેક ટ્રક ફસાય છે અને કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલા એક કંન્ટેનર પલ્ટી મારી ગયેલ છે અને આજે એક રીક્ષામાથી બેરલો પડી ગયા હતા આવી ઘટના રોજબરોજ બની રહી છે આ રોડ ઉપર ગેસ ભરેલા રોજના ૮૦ થી વધુ ટેન્કર પસાર થાય છે ત્યારે કોઈ ઘટના બને તો જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે અને છેલ્લા ઘણા મહિનાઓથી ઉઘોગકારો સહિતના લોકો મોટી તકલીફો વેઠવી રહ્યા છે તો પણ જવાબદાર અધિકારી કે પછી પદાધિકારીઑ દ્વારા કેમ ભંગાર રોડને રીપેર કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે અને આ કાયમી સમસ્યા કયારે ઉકેલાશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News