મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા-બેલા ભંગાર રોડે અકસ્માત થાય તો જવાબદાર કોણ: સિરામિક એસો.


SHARE













મોરબીના ખોખરા-બેલા ભંગાર રોડે અકસ્માત થાય તો જવાબદાર કોણ: સિરામિક એસો.

મોરબી સીરામીક ઝોનમા ૮-એ નેશનલ હાઈવેથી સ્ટેટ હાઇવે પીપળી રોડ જવા માટેનો ખોખરા-બેલા રોડ છે ત્યા આશરે ૩૦૦ સીરામીકના કારખાના આવેલ છે તે રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી કરીને ઉદ્યોગકારો સહિતના લોકોને હેરાન થવું પડે છે જેથી તંત્ર ક્યારે આ રોડની સમસ્યા દુર કરશે તેવો સવાલ મોરબી સિરામિક એસો. દ્વારા સવાલ કરવામાં આવેલ છે

મોરબીનો ખોખરા-બેલા રોડ ઉપર માસ મોટા ખાડા છે જેથી કરીને અનેક ટ્રક ફસાય છે અને કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલા એક કંન્ટેનર પલ્ટી મારી ગયેલ છે અને આજે એક રીક્ષામાથી બેરલો પડી ગયા હતા આવી ઘટના રોજબરોજ બની રહી છે આ રોડ ઉપર ગેસ ભરેલા રોજના ૮૦ થી વધુ ટેન્કર પસાર થાય છે ત્યારે કોઈ ઘટના બને તો જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે અને છેલ્લા ઘણા મહિનાઓથી ઉઘોગકારો સહિતના લોકો મોટી તકલીફો વેઠવી રહ્યા છે તો પણ જવાબદાર અધિકારી કે પછી પદાધિકારીઑ દ્વારા કેમ ભંગાર રોડને રીપેર કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે અને આ કાયમી સમસ્યા કયારે ઉકેલાશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News