ખેડામાં શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનારાઓ સામે કાર્યવાહી કરો: મોરબીના હિન્દુ સંગઠનોની માંગ
SHARE
ખેડામાં શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનારાઓ સામે કાર્યવાહી કરો: મોરબીના હિન્દુ સંગઠનોની માંગ
શ્રાવણી અમાસના દિવસે ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા નીકળી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી હિન્દૂ સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન અને હિન્દૂ યુવા વાહિની સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતુ કે, ખેડાના ઠાસરામાં શ્રાવણી અમાસના દિવસે શોભાયાત્રા નીકળી હતી ત્યારે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હતો જેમાં પોલીસ કર્મીઓ અને અન્ય લોકોને ઇજાઓ થઈ હતી જેથી તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે