મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

ખેડામાં શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનારાઓ સામે કાર્યવાહી કરો: મોરબીના હિન્દુ સંગઠનોની માંગ


SHARE







ખેડામાં શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનારાઓ સામે કાર્યવાહી કરો: મોરબીના હિન્દુ સંગઠનોની માંગ

શ્રાવણી અમાસના દિવસે ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા નીકળી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી હિન્દૂ સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન અને હિન્દૂ યુવા વાહિની સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતુ કે, ખેડાના ઠાસરામાં શ્રાવણી અમાસના દિવસે શોભાયાત્રા નીકળી હતી ત્યારે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હતો જેમાં પોલીસ કર્મીઓ અને અન્ય લોકોને ઇજાઓ થઈ હતી જેથી તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે




Latest News