મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

પોલીસ વિભાગની બેદરકારીથી પોલીસ પરિવાર વિમાની રકમ મેળવવા હેરાન: મોરબી તકરાર કોર્ટે ખર્ચની રકમ ચૂકવવા કર્યો આદેશ


SHARE













પોલીસ વિભાગની બેદરકારીથી પોલીસ પરિવાર વિમાની રકમ મેળવવા હેરાન: મોરબી તકરાર કોર્ટે ખર્ચની રકમ ચૂકવવા કર્યો આદેશ

મોરબી તાલુકાના કેરાળી ગામના વતની સંજયભાઇ રાણાભાઇ મિયાત્રાના ભાઇ વસંતભાઇ મિયાત્રા પોલીસ ખાતામાં નોકરી કરતાં હતા. આ વસંતભાઇની બન્ને દીકરી દિયા અને દ્રષ્ટી યુનાઇટેડ ઇન્સ્યુરન્સ વીમા કંપની સામે કેઇસ કરેલ તેમના પિતા વસંતભાઇ તા.૧૩-૨-૧૭ નાં રોજ ફરજ દરમ્યાન જામનગર રાજકોટ રોડ પર પેટ્રોલીંગ કરતાં હતાં. અને તેમનો અકસ્માત થતાં તેઓ બે વર્ષ સુધી કોમામાં હતા અને તા.૨૯-૧૨-૧૯ ના રોજ મૃત્યુ પામેલ હતા વસંતભાઇ ગૃપ પોલીસીમાં આવતાં હોઇ વીમાની કાર્યવાહી સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગરની ઓફિસથી કાર્યવાહી કરવી જોઈએ અને વસંતભાઇને ૧૦,૦૦,૦૦૦ નો વીમો મળવો જોઇએ પરંતુ વીમા કંપનીએ કહયુ કે કોમામાં મરણ પામેલ હોઇ પોલીસી અસ્તીત્વમાં આવતી નથી અને વીમા કંપનીએ હાથ ઉંચા કરી લીધા હતા

જેથી કરીને સંજયભાઇ રાણાએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરતાં અદાલતે હુકમ કર્યા કે કોઇપણ કર્મચારી અકસ્માત મૃત્યુ પામે તો વીમાની ફરિયાદ જે તે ઓફિસે કરવાની હોઇ માટે ભલે સમય ગયો હોઇ પણ સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગર મરણજનાર વસંતભાઇના વીમાની કાર્યવાહી બે મહિનામાં ગ્રાહક અદાલતમાં મુકવી અને બન્ને દિકરીને ૩૫,૦૦૦ માનસીક ત્રાસના તથા ૧૫,૦૦૦ ખર્ચાના આમ કુલ મળીને ૫૦,૦૦૦ ગત તા.૧૫-૨-૨૨ થી સાત ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. વધુમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવેલ છે કે, કોઇપણ કર્મચારી અકસ્માતે મૃત્યુ પામે તો તેના વીમાની કાર્યવાહી જે તે વડા કરે અને કુટુંબના સભ્યો તે ખાસ સંભાળ કરીને કાર્યવાહી કરવી જોઇએ જો કે, ૬ વર્ષનો સમય ગયો છતાં કોર્ટ જેતે ખાતાએ કેઇસ રજુ કરવાનો હુકમ કરેલ છે અને કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઇ ભટ્ટ અને રામભાઇ મહેતાનો સંપર્ક કરવા જણાવેલ છે.






Latest News