મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા ગણેશજીની મુર્તિઓનું સામૂહિક અને સલામતપણે મચ્છુ-૩ ડેમમાં વિસર્જન


SHARE













મોરબી પાલિકા દ્વારા ગણેશજીની મુર્તિઓનું સામૂહિક અને સલામતપણે મચ્છુ-૩ ડેમમાં વિસર્જન

છેલ્લા ૧૧ દિવસથી શહેરના જુદાજુદા વિસ્તારોમાં ગણેશજીનું સ્થાપન કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું હતું દરમ્યાન આજે મોરબીમાં ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે નગરપાલિકા દ્વારા શહેરમાં ચાર જગ્યાએ ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની મુર્તિ એકત્રીત કરીને મચ્છુ નદીમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યુ છે.ત્યારે ભક્તો દ્વારા એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર સહિતના ગગન ભેદી જય ઘોષ કરવામાં આવશે આ તકે કેટલાક ભક્તોની આંખો ભીની થઇ ગઇ હતી.

ગણેશોત્સવનું મહત્વ છેલ્લા વર્ષોમાં મોરબી સહીત સૌરાષ્ટ્રમાં પણ વધી રહ્યું છે અને ઠેરઠેર ગણેશજીની સ્થાપના કરીને ગણપતિ બાપનું પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ હોવાથી મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ભક્તો નીકળ્યા હતા અને ત્યાર "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ" સહિતના જય ઘોષ કર્યા હતા જો કે, શહેરમાં વિસર્જન સમયે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા મચ્છુ નદીમાં વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને શહેરમાંથી આવતી તમામ મૂર્તિઓને ક્રેઇન , તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી આર.ટી.ઓ નજીક મચ્છુ-૩ ડેમ ખાતે મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવેલ હતુ.

ગણપતિ વિસર્જનમાં ડુબી જવાથી ઘણા લોકોના મૃત્યુ છેલ્લા વર્ષોમાં જુદાજુદા વિસ્તારોમાં થયા છે જેથી કરીને આવો બનવા મોરબીમાં ન બને તેના માટે પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને શહેરમાં શનાળા રોડ સ્કાયમોલ પાસે, એમ.પી.શેઠ ગર્લ્સ સ્કૂલ વી.સી.ફાટક પાસે, સામાકાંઠે એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ અને જેઈલરોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એમ ચાર સ્થેળે મુર્તિઓ સ્વીકારવામાં આવે છે અને દિવસ દરમ્યાન જેટલા પણ લોકો ગણેશજીની મૂર્તિ મૂકી જશે તેની પાલિકાની ટીમ દ્વારા તરવૈયાઓની મદદથી મચ્છુ નદીમાં વિસર્જન કરવામાં આવશે આજે સવારથી જ એકત્રીત થતી મુર્તિઓનું નદીમાં વિસર્જન કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યુ હતુ.જે આજે મોડી રાતની નવ વાગ્યા સુધી મુર્તી સ્વીકારીને વિસર્જન ચાલુ રાખવામાં આવેલ.કોઇપણ વિસ્તારમાંથી મુર્તિ આવશે તો તેનું નદીમાં તંત્ર દ્વારા વિસર્જન કરી આપવામાં આવ્યુ હતુ.

શહેરમાં જુદાજુદા વિસ્તારમાં નાના મોટા ગણેશોત્સવના આયોજનો કરવામાં આવ્યા હતા તે ઉપરાંત ઘણા લોકોએ પોતાના ઘર અને દુકાનોમાં પણ ગણેશજીના સ્થાપન કર્યા હતા અને ગણેશજીનું પૂજન અર્ચન કર્યું હતું જો કે, આજે નાની મોટી અનેક ગણેશજીની મૂર્તિઓનું પાલિકાના પવડી વિભાગ, ફાયર વિભાગ, સેનીટેશન વિભાગ અને ગેરેજ વિભાગના સ્ટાફ તેમજ સેવાભાવી લોકો દ્વારા વિસર્જન કરવામાં આવેલ તેમ પાલિકાના હિતેશભાઇ રવેવિયાએ માહિતી આપતાજણાવેલ છે .નદી કાંઠે ફાયર વિભાગનો સ્ટાફને હાજર રાખીને ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું ત્યારે ઘણા લોકોની આંખ ભીની થઈ હતી અને ભારે હૈયે ગણપતિ બાપને વિદાય આપી હતી.






Latest News