મોરબીના મંદરકિ ગામે પ્રમોલગેશન નોંધ બાબતે થયેલ રિવિઝન અરજી નામંજૂર
SHARE
મોરબીના મંદરકિ ગામે પ્રમોલગેશન નોંધ બાબતે થયેલ રિવિઝન અરજી નામંજૂર
મોરબીના મંદરકિ ગામની પ્રમોલગેશન નોંધ બાબતે રેવન્યુ હાયર અપીલીય ઓથોરિટીમાં રદ કરવા રીવીઝન અરજી દાખલ કરી હતી જે કેસના ગુણદોષ આધારે રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ છે
મોરબીના મંદરકિ ગામની પ્રમોલગેશન નોંધ બાબતે રેવન્યુ હાયર અપીલીય ઓથોરિટી મોરબીનો મહત્વનો ચુકાદો આવેલ છે જે કેસની હકિકત એવી છે કે, જુના ઘાટીલા ગામના હસમુખભાઈ મગનભાઈ પટેલ વિગેરેએ ભગવાનજીભાઈ અમરશીભાઈ હળવદિયા તેમજ ઉર્મિલાબેન શીવલાલભાઈ પટેલ સામે મોરબી જીલ્લા કલેક્ટર અપીલીય ઓથોરિટી સમક્ષ માળીયા મી. તાલુકાના મંદરકિ ગામના રે.સ.નં. ૧૮ અગેની પ્રમોલગેશન નોંધ નં.૨૧ અને ત્યારબાદ ઉતરોત્તર નોંધ રદ કરવા રીવીઝન અરજી નં.૫/૨૦૨૩ થી દાખલ કરી હતી અને તે રીવિઝનના કામે કાયદાકીય દલીલો, રજુઆતો ધ્યાને લઈને તેઓની સદરહું રીવિઝન અરજી સમયમર્યાદાના મુદે, કાર્યક્ષેત્રના મુદે તેમજ રેકર્ડકિય વિગતોને ધ્યાને લઈને કેસના ગુણદોષ આધારે રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ તા.૯/૧૦/૨૦૨૩ ના રોજ મોરબીના જિલ્લા કલેક્ટરે કરેલ છે, આ રિવિઝન અરજીના કામે સામાવાળા ભગવાનજીભાઈ અમરશીભાઈ હળવદિયા તેમજ ઉર્મિલાબેન શીવલાલભાઈ પટેલના વકિલ તરીકે મોરબીના રાજેશભાઈ જે. જોષી રોકાયેલા હતા