મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના મંદરકિ ગામે પ્રમોલગેશન નોંધ બાબતે થયેલ રિવિઝન અરજી નામંજૂર


SHARE







મોરબીના મંદરકિ ગામે પ્રમોલગેશન નોંધ બાબતે થયેલ રિવિઝન અરજી નામંજૂર

મોરબીના મંદરકિ ગામની પ્રમોલગેશન નોંધ બાબતે રેવન્યુ હાયર અપીલીય ઓથોરિટીમાં રદ કરવા રીવીઝન અરજી દાખલ કરી હતી જે કેસના ગુણદોષ આધારે રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ છે

મોરબીના મંદરકિ ગામની પ્રમોલગેશન નોંધ બાબતે રેવન્યુ હાયર અપીલીય ઓથોરિટી મોરબીનો મહત્વનો ચુકાદો આવેલ છે જે કેસની હકિકત એવી છે કે, જુના ઘાટીલા ગામના હસમુખભાઈ મગનભાઈ પટેલ વિગેરેએ ભગવાનજીભાઈ અમરશીભાઈ હળવદિયા તેમજ ઉર્મિલાબેન શીવલાલભાઈ પટેલ સામે મોરબી જીલ્લા કલેક્ટર અપીલીય ઓથોરિટી સમક્ષ માળીયા મી. તાલુકાના મંદરકિ ગામના રે.સ.નં. ૧૮ અગેની પ્રમોલગેશન નોંધ નં.૨૧ અને ત્યારબાદ ઉતરોત્તર નોંધ રદ કરવા રીવીઝન અરજી નં.૫/૨૦૨૩ થી દાખલ કરી હતી અને તે રીવિઝનના કામે કાયદાકીય દલીલો, રજુઆતો ધ્યાને લઈને તેઓની સદરહું રીવિઝન અરજી સમયમર્યાદાના મુદે, કાર્યક્ષેત્રના મુદે તેમજ રેકર્ડકિય વિગતોને ધ્યાને લઈને કેસના ગુણદોષ આધારે રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ તા.૯/૧૦/૨૦૨૩ ના રોજ મોરબીના જિલ્લા કલેક્ટરે કરેલ છે, આ રિવિઝન અરજીના કામે સામાવાળા ભગવાનજીભાઈ અમરશીભાઈ હળવદિયા તેમજ ઉર્મિલાબેન શીવલાલભાઈ પટેલના વકિલ તરીકે મોરબીના રાજેશભાઈ જે. જોષી રોકાયેલા હતા




Latest News