ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિએ મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિ-ફ્રૂટ વિતરણ
SHARE
ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિએ મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિ-ફ્રૂટ વિતરણ
મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના પ્રમુખ બાબુભાઇ પરમારે જણાવ્યુ હતું કે, મોરબી ખાતે ભારતના બંધારણના ઘડવૈયા, સામાજીક સમરસતાના મહાનાયક, ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યાં બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ નિર્મલભાઈ જારિયા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રીસીપભાઈ કૈલા, ગુજરાત પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચાની કારોબારીના સભ્ય અશોકભાઇ ચાવડા, મોરબી જિલ્લા પંચાયત ન્યાય સમિતિ મહિલા ચેરમેન, મોરબી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન, મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર તેમજ સામાજિક અગ્રણી પાર્ટીના સંગઠન અનુ. જાતિ મોરચાનાં પ્રમુખ બાબુભાઈ પરમાર, મહામંત્રી બળવંતભાઈ છનારિયા અને નરેન્દ્રભાઇ સોલંકી સહિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તા બંધુઓ હાજર રહ્યા હતા