જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ય સમાજ દ્વારા ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન


SHARE













મોરબીમાં આર્ય સમાજ દ્વારા ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન

મોરબીમાં આર્યસમાજ દ્વારા ભારતવર્ષના પિતામહ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેના ભાગરૂપે મોરબીના આંગણે ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

મોરબી આર્ય સમાજ દક્ષિણ પ્રેરિત મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વિશતાબ્દી જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આગામી તા ૨૪ ડિસેમ્બરે સવારના ૭ કલાકે આર્ય ભૂમિ ખાતે ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવારના ૭:૩૦ થી ૧૦ વાગ્યા સુધી વૈદિક યજ્ઞ૧૦ થી ૧૨ સુધી ધર્મસભાપ્રવચનઆર્શીવચનનો કાર્યક્રમ યોજાશે. આ યજ્ઞમાં બેસવાનું નિ:શુલ્ક છે તથા કોઈ જ્ઞાતિબાધ નથી. તેમજ યજ્ઞમાં બેસવા માટે એસ.પી. રોડધ વન અપ પાસેદુકાન નં.૨ખાતે આવેલા કાર્યાલયમાં સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમિયાન રૂબરૂ આવીને ફોર્મ ભરીને નોંધણી કરાવવાની રહેશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સમિતિના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જાહેર નિમંત્રણ આપ્યું છે.






Latest News