ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના ગોલાસણ ગામના ચાર યુવાનોના ધાંગધ્રાના બાયપાસ રોડે વાહન અકસ્માતમાં મોત


SHARE















હળવદ તાલુકાના ગોલાસણ ગામના ચાર યુવાનોના ધાંગધ્રાના બાયપાસ રોડે વાહન અકસ્માતમાં મોત

હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા યુવાનો કાર લઈને ધાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી લગ્ન પ્રસંગ પૂરો કરીને રાત્રિના સમયે પરત આવી રહ્યા હતા ત્યારે સ્વિફ્ટ કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતા વાહન સાથે અથડાઈ હતી જેથી કરીને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતના બનાવમાં કારની અંદર બેઠેલા સાત યુવાનોમાંથી ચાર યુવાનોના મોત નીપજયાં છે અને ત્રણ યુવાનો સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે આ બનાવની જાણ થતા ધ્રાંગધ્રા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા યુવાનો સ્વિફ્ટ કાર નંબર જીજે ૩૬ એસી ૩૦૧૫ લઈને ધાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાં લગ્ન પ્રસંગ પૂરો કરીને રાત્રીના ૧૨ વાગ્યાના અરસામાં ધાંગધ્રા તાલુકાના નરાડી ગામેથી પરત ગોલાસણ ગામ તરફ આવી રહ્યા હતા દરમ્યાન ધાંગધ્રા બાયપાસ રોડ ઉપર કોઈ કારણોસર કારના ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને સામેના ભાગમાં રોડ ઉપર આવી રહેલા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી આ જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં કારની અંદર બેઠેલા સાત યુવાનોને ગંભીર ઈજા થઈ હતી જે પૈકીના ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત નીપજયાં હતા અને જે ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી તેને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા દરમિયાન એક યુવાનનું મોત નીપજયું હતુ આમ કુલ મળીને આ અકસ્માતના બનાવમાં ચાર યુવાનોના મોત નીપજયાં છે અને ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તે ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવાની માહિતી જાણવા મળી રહે છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે અકસ્માતના આ બનાવમાં કિરણભાઈ મનુભાઈ સુરેલા (૧૮), ઉમેશભાઈ જગદીશભાઈ (૧૫), કરસનભાઈ ભરતભાઈ (૨૩) અને  કાનજીભાઈ ભુપતભાઈ (૧૮) નામના ચાર યુવાનોના મોત નીપજયા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે અને આ અકસ્માતના બનાવમાં કાનજીભાઈ રાયધનભાઈ સુરેલા, અમિતભાઈ જગદીશભાઈ ઉકેડીયા અને એક અજાણ્યો વ્યક્તિ આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News