મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડ ઉપર રસ્તો ઓળંગી રહેલ બાળકને બાઇક ચાલકે હડફેટ લીધા બાદ સારવાર દરમિયાન બાળકનું મોત


SHARE









મોરબીના ઘુંટુ રોડ ઉપર રસ્તો ઓળંગી રહેલ બાળકને બાઇક ચાલકે હડફેટ લીધા બાદ સારવાર દરમિયાન બાળકનું મોત

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર રહેતા પરિવારનો બાળક રસ્તો ઓળંગી રહ્યો હતો તે દરમિયાન તે બાઈક ચાલકની હડફેટે ચડી જતા તેને ઇજાઓ થઈ હતી અને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે બાળકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપર ઝીલટોપ સીરામીક નજીકના સોદીપ ગોડાઉન નામના ગોડાઉન નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારનો મનીષ કરશનભાઈ જાડેજા જાતે ડફેર નામનો નવ વર્ષનો બાળક ગત તા.૪-૧૨ ના રોજ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સ્મશાન નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો દરમિયાનમાં બાઈક નંબરજીજે ૩૬ એજી ૭૭૮ ના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી ઈજા પામેલ મનીષ કરશન જાડેજા (૯) ને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને જે તે સમયે બી ડિવિઝન પોલીસમાં આ બાબતે જાણ થઈ હતી જોકે બાદમાં સ્થળ તપાસ કરવામાં આવતા આ બનાવ મોરબી તાલુકા પોલીસની હદમાં આવતો હોય હાલ મોરબી તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી છે.જોકે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપીને રાજકોટ ખસેડાયેલા મનીષ કરશનભાઈ જાડેજા જાતે ડફેર (ઉંમર ૯) નામના બાળકનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન આજે તા.૭ ના સવારે આઠેક વાગ્યાના અરસામાં તેનું મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે.

કાર પલટી મારી જતા ઈજા

મોરબીના માળિયા-હળવદ રોડ ઉપર અકસ્માતે કાર પલ્ટી મારી ગઈ હતી તે બનાવમાં દિવ્યકાન્તભાઈ દિવ્યાંનશ્રી પાલ (ઉંમર ૧૫), સવિતાબેન (ઉમર ૩૦), દેવ્યાંનશ્રઈ પાલ (ઉંમર ૫૦) અને રઘુવીરસિંહ બહેરા રહે.બધા જામનગર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન નજીકને ઇજાઓ થતા સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસમાં યાદી આવતા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામે પાવર હાઉસ પાસે આવેલ માર્બો મેક્સ નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી સોનલબેન ગોકુલભાઈ પાટડીયા નામની ૨૫ વર્ષીય મહિલાને કામ દરમિયાન ગરમ પાઉડર શરીર ઉપર પડતા દાજી ગયા હતા જેથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.

સગીર સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે રહેતો ગોપાલ રણછોડભાઈ સોલંકી નામનો ૧૪ વર્ષનો સગીર નાસ્તો લેવા માટે ગયો હતો ત્યારે રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટ લેતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસે તપાસ કરી હતી.






Latest News