મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સની ધરપકડ


SHARE









મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા શખ્સની બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બાબતે ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારવામાં આવ્યું હતું અને જે બાબતે ભોગ બનનાર પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા મથકના પીઆઇ કે.એ.વાળા દ્વારા વિક્રૃત કૃત્ય આચરનાર હર્ષદ ભરતભાઈ ભટ્ટ (ઉમર ૪૪) ની ધરપકડ કરવામાં આવી હતી અને મેડિકલ તપાસ સહિતની આગળની પ્રક્રિયા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં આવેલ સંઘવી જીનની પાસે રહેતા મોહમ્મદભાઈ ઇસ્માઈલભાઈ બ્લોચ નામના ૫૭ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા આ અંગે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના દરબારગઢ પાસે આવેલ નાગનાથ શેરી પાસે તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયેલ હતુ અને તે બનાવમાં તેઓને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના કેનાલ રોડ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજા પામેલ વિરલ નરેશભાઈ વડગામા (૨૯) રહે.કોઠારીયા કોલોની રાજકોટ વાળાને ઇજાઓ પહોંચી હતી જેથી તેને અહિંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતી મહેકબેન અસ્લમભાઈ ચાનીયા નામની ૨૬ વર્ષની મહિલા તેઓના ઘરે અગમ્ય કારણોસર કોઈ અજાણી દવા પી ગયા હતા જેથી તેઓને આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેણીને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી યાદી આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News