મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા કોર્ટેમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના વળતર માટેનો કેસ પણ ચાલશે: ભોગ બનેલ પરિવાર


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા કોર્ટેમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના વળતર માટેનો કેસ પણ ચાલશે: ભોગ બનેલ પરિવાર

મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાના ભોગ બનેલા પરિવારો પૈકીના ૧૩ જેટલા પરિવારો દ્વારા અમદાવાદ કન્ઝ્યુમર એસો. મારફતે ગ્રાહક સુરક્ષા કોર્ટ મોરબીમાં વળતર માટે થઈને કેસ કરવામાં આવ્યો હતો જેની સામે ઓરેવા કંપની દ્વારા તે કેસને રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી જે અરજીને રદ કરવામાં આવેલ છે અને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં હવે ઝુલતાપુલ દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોનો વળતર માટેનો પણ કેસ ચાલશે તેવું ભોગ બનેલા પરિવાર પૈકીના વ્યક્તિ પાસેથી જાણવા મળેલ છે

મોરબીમાં ગત તા. ૩૦/૧૦/૨૨ ના રોજ સાંજના સમયે જુલતોપુલ તૂટી પડ્યો હતો ત્યારે ૧૩૫ જેટલા લોકોના આ દુર્ઘટનામાં મોત થયા હતા જે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે ઓરેવા કંપનીના જયસુખભાઈ પટેલ તેઓના મેનેજર બે મેનેજર અને ત્યાં રીપેરીંગ કામ કરનાર કોન્ટ્રાક્ટર પિતા પુત્ર સહિતનાઓની ધરપકડ કરવામાં આવી હતી જે પૈકીના મોટાભાગના હાલમાં જામીનમુક્ત થયેલા છે જોકે જયસુખભાઈ પટેલ, મેનેજર દીપકભાઈ પારેખ અને કોન્ટ્રાક્ટર સહિતના હાલ જેલની અંદર છે જોકે ઓરેવા કંપની દ્વારા હાઇકોર્ટના નિર્દેશ મુજબ ભોગ બનેલા પરિવારોને વળતરની રકમ આપવા માટે રકમ કોર્ટમાં જમા કરવી છે જોકે આ દુર્ઘટનામાં પોતાના સ્વજનને ગુમાવનારા પરિવારો પૈકીના ૧૩  જેટલા પરિવારો દ્વારા અમદાવાદ કન્ઝ્યુમર એસો. મારફતે મોરબી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વળતર માટે થઈને કેસ કરવામાં આવ્યો હતો

જેની સામે ઓરેવા કંપનીના વકીલ દ્વારા તે અરજીને રદ કરવા માટે થઈને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે હાઇકોર્ટના નિર્દેશ મુજબ ભોગ બનેલા પરિવારોને ઓરેવા કંપની મારફતે વળતર ચૂકવવામાં આવેલ છે જોકે ઓરેવા કંપનીના વકીલ મારફતે જે અરજી કરવામાં આવી હતી તે અરજીને મોરબી ગ્રાહક સુરક્ષા કોર્ટે રદ કરેલ છે અને હવે ઝુલતા પુલ દુર્ઘટનાના ભોગ બનેલા પરિવારો દ્વારા જે વળતર માટે થઈને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરેલ છે તે કેસ પણ મોરબીની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચાલશે તેવું જાણવા મળે છે વધુમાં માહિતી આપતા ભોગ બનેલા પરિવાર પૈકીના નરેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષાએ ઓરેવાના વકીલ દ્વારા કરવામાં આવેલ અરજી રદ કરેલ છે અને ભોગ બનેલા પરિવારો ગ્રાહક છે જેથી કરીને વળતર માટે તે અરજી કરી શકે છે જેથી હવે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વળતર માટેનો કેસ ચાલશે






Latest News