મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબીમાં સીવણની તાલીમ પૂર્ણ કરનારા ૨૨ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા


SHARE













મોરબીમાં સીવણની તાલીમ પૂર્ણ કરનારા ૨૨ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા

R.S S. પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા મોરબી જીલ્લામાં વિવિધ વિસ્તારોમાં સેવા પ્રકલ્પો ચલાવવામાં આવે છે જેમાં મોરબી શહેરમાં વીસીપરા વિસ્તારમાં આવેલા આંબેડરનગરમાં સ્વાવલંનની દૃષ્ટિએ મહિલા રોજગારમાં આગળ વધે, સ્વ નિર્ભર બને તે હેતુથી ટ્રસ્ટ દ્વારા સીવણ કેન્દ્ર છેલ્લા બે વર્ષથી નિયમિત રીતે ચલાવવામાં આવે છે. સમગ્ર વર્ષમાં કુલ ૩ તાલીમી બેન્ચ દ્વારા બહેનોને સીવણ કામ શીખવવામાં આવે છે. અને તાલીમ પૂર્ણ કરેલ ૨૨ બહેનોને તાલીમ પૂર્ણ કર્યા અંગેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના મંત્રી વિપુલભાઈ અઘારા, ડો.જ્યદીપભાઈ કંઝારિયા, પારસભાઈ વોરા, લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, પ્રણજીવનભાઈ વિડજા,જેઠાભાઈ કવૈયા,વિનુભાઈ શુક્લ તેમજ કેન્દ્ર સંચાલક આરતીબેન ઉપસ્થિત રહ્યા હતા.






Latest News