ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના અપહરણ-પોક્સોના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો આદેશ


SHARE













મોરબીના અપહરણ-પોક્સોના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો આદેશ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુનામાં પકડાયેલા આરોપીઓનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં બંને આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ ૨૦૨૦ માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે, આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે ૧૬ વર્ષ અને ૬ માસની હોવાનું આરોપી જાણવા છતાં તેનું અપહરણ કરીને લઈ ગયો હતો અને તેની સાથે વારંવાર શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જેથી પોલીસે ફરિયાદ આધારે આરોપી રોહિતભાઈ હરજીભાઈ રંધેડિયા અને તેની મદદ કરનાર તેના કાકા પ્રેમજીભાઈ મુળજીભાઈની ધરપકડ કરી હતી ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ થઈ જતા મોરબીમાં મહીડા સાહેબની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરેલ છે આ કેસમાં આરોપી રોહિતભાઈ તેમજ પ્રેમજીભાઈ તરફે મોરબીના વકીલ બી.ડી. ઝાલા તેમજ મયુર પી. પુજારા રોકાયેલ હતા.






Latest News