ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોટી રાહત: મોરબીના મચ્છુ-૨ ડેમમાં કેમિકલ નહીં કોલસાની ભૂકકી હોવાનું પ્રાથમિક તારણ, સેમ્પલ લેવાયા


SHARE













મોટી રાહત: મોરબીના મચ્છુ-૨ ડેમમાં કેમિકલ નહીં કોલસાની ભૂકકી હોવાનું પ્રાથમિક તારણ, સેમ્પલ લેવાયા

મોરબી નજીક આવેલા મચ્છુ-૨ ડેમમાંથી મોરબી અને માળીયા તાલુકાને પીવા અને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે છે ત્યારે આ ડેમના પાણીમાં કાળા રંગનું પાણી કોઈએ નાખ્યું હોય તેવો વિડીયો મંગળવારે બપોરથી સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો જેથી કરીને જીપીસીબી અને સિંચાઇ વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને પાણીના સેમ્પલ લેવામાં આવેલ છે જો કે, પ્રાથમિક તારણમાં કોલસાની ભૂકકી હોવાનું અધિકારી જણાવ્યુ છે જેથી કરીને મોરબીના લોકોને હાલમાં રાહતના સમાચાર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્ર્તિ નથી

મોરબી તાલુકાનાં જોધપર ગામ પાસે મચ્છુ-૨ ડેમ આવેલ છે જેમાંથી બે તાલુકાનાં લોકોને પીવા અને સિંચાઇ માટેનું પાણી બાર મહિના આપવામાં આવે છે તેમજ નર્મદાની સૌની યોજનાનો આ મધર ડેમ હોવાથી તેમાં નર્મદની કેનાલ મારફતે પાણી પહોચડવામાં આવે છે તે રાજકોટ અને જામનગર સુધી લઈ જવામાં આવે છે તેવામાં મચ્છુ-૨ ડેમમાં કાળા કલરનું કોઈએ પ્રવાહી ફેંકવામાં આવ્યું હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો જેથી કરીને તાત્કાલિક સિંચાઇ વિભાગ અને જીપીસીબીના અધિકારીઓ દોડતા થયા હતા અને મચ્છુ-૨ ડેમમાંથી પાણીના સેમ્પલ પણ જીપીસીબીના અધિકારી દ્વારા લેવામાં આવેલ છે વધુમાં સિંચાઇ વિભાગના અધિકારી વી.એસ. ભોરણીયાએ જણાવ્યું હતું કે, મચ્છુ-૨ ડેમના દૂષિત પાણીનો વિડીયો સામે આવતાની સાથે જ તેઓ ત્યાં દોડી ગયા હતા અને જીપીસીબીના અધિકારી પણ ત્યાં આવ્યા હતા અને હાલમાં જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવેલ છે જો કે, પ્રાથમિક તારણ મુજબ કોલસાની ડસ્ટ હોય તેવી શક્યતા દેખાઈ રહી છે.

નર્મદા કેનાલ મારફતે પણ દુષિત પાણી ડેમમાં ઠલવાઈ જ છે !

મોરબી જીલ્લામા સિરામિક ઝોનમાંથી નર્મદની મચ્છુ કેનાલ પસાર થાય છે જેથી કરીને કેટલા કારખાના વાળાઓએ તેના કારખાનામાંથી નીકળતા દૂષિત પાણીનો નિકાલ સીધો જ કેનાલમાં કરેલ છે જેથી કરીને કેનાલમાં વહેતા નર્મદાનાં શુદ્ધ પાણીની સાથેસાથે દૂષિત પાણી પણ મોરબીના ડેમમાં જાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, પાણીને દૂષિત કરવાનાની આ પ્રવૃતિને રોકવા માટે કોઈ અધિકારી કયારે પણ તસ્દી લીધેલ નથી તે પણ હક્કિત છે






Latest News