ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના મહેશ્વરીબેન અંતાણીએ ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યમાં બેવડી સિદ્ધિ મેળવી


SHARE













મોરબીના મહેશ્વરીબેન અંતાણીએ ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યમાં બેવડી સિદ્ધિ મેળવી

"ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન" શીખવા માટેની કોઈ ઉમર નથી હોતી, જીવનની સમી સાંજે પોસ્ટ ઓફિસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી પણ  સતત પ્રવૃત્તિ શીલ રહીને મહેશ્વરીબેને  અભ્યાસમાં ઉંમરનો બાદ નડતો નથી તે ઉક્તિ  સાર્થક કરી બતાવી છે પ્રતિષ્ઠિત શાસ્ત્રીય નૃત્ય તાલીમ સંસ્થા શ્રી નટવરી નૃત્યમાલા ક્લાસિક ડાન્સ ક્લાસીસ-રાજકોટના કથક નૃત્ય કલાગુરૂ વંદનીય શ્રીમતી હર્ષાબેન ઠક્કરના સ્નેહાળ માર્ગદર્શન હેઠળ અને આ સંસ્થાના હોનહાર શિક્ષકો જેવાકે શ્રીમતી ડોલીબેન ઠક્કર, ખ્યાતિદીદી, ધ્યાનીદીદી, અનુશ્રીદીદી, રિધ્ધિદીદીના સાનિધ્યમાં સાત વર્ષની સઘન તાલીમ લઇ ૬૪ વર્ષ ની ઉંમરે  મહેશ્વરીબેન અંતાણીએ કથક નૃત્ય 'લખનઉ' ઘરાનામાં ૬૬.૭૫ % સાથે પ્રથમ વર્ગ માં વિશારદની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. આ અગાઉ તેમણે કથકના 'જયપુર' ઘરાનામાં પણ વિશારદની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. આમ તેમણે કથક નૃત્યના 'લખનઉ 'તથા 'જયપુર' બન્ને ઘરાનામાં વિશારદ થઈ બેવડી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે હાલમાં તેઓ ભરતનાટ્યમમાં પણ વિશારદના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે






Latest News