વાહન ચોરનો આતંક: મોરબીમાંથી બાઇક-હળવદમાંથી બોલેરો ગાડીનો ચોરી
ટંકારા ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજીની ૭૨૪ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ
SHARE
ટંકારા ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજીની ૭૨૪ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ
પોષવદ સાતમ એટલે જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મ જયંતી. ભારત વર્ષમાં પરિભ્રમણ કરી સનાતન ધર્મને સંગઠિત કરનાર, ગામો ગામ રામજી મંદિરોની સ્થાપના અને સંકલ્પ કરાવનાર, રામ ભક્તિનો પ્રચાર કરનાર એવા હિંદુ ધર્મ ઉદ્ધારક વૈષ્ણવ આચાર્ય જગદગુરુ રામાનંદાચાર્યજીની ૭૨૪ મી જન્મ જયંતીની ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુપૂજન વિધિ ત્યારબાદ સૌ જ્ઞાતિબંધુઓએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને જાણીતા કથાકાર રસિકભાઈ આગવી છટામાં કરી આચાર્યજી વિશે માહિતી આપી હતી અને તેજસ્વી તારલાઓનું સન્માન અને સંત સભાનું આયોજન થયું હતું જેમાં આવતાં ત્રણ વર્ષના સમુહભોજનના દાતાઓએ નામ નોંધાવ્યા હતા આ વર્ષે ભોજનના દાતા રઘુરામ રતિલાલભાઈ કુબાવત રોહીશાળા વાળા હતા અને શિલ્ડના દાતા શિક્ષક રવીભાઈ રામાનુજ હતા. આ વર્ષે શ્રી રામચંદ્રજી અને રામાનંદાચાર્ય વિશે પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન થયેલું હતું જેનું સંચાલન નરેન્દ્રભાઈ કુબાવતએ કર્યું હતું