મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

ટંકારા ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજીની ૭૨૪ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ


SHARE









ટંકારા ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજીની ૭૨૪ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ

પોષવદ સાતમ એટલે જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મ જયંતી. ભારત વર્ષમાં પરિભ્રમણ કરી સનાતન ધર્મને સંગઠિત કરનાર, ગામો ગામ  રામજી મંદિરોની સ્થાપના અને સંકલ્પ કરાવનાર, રામ ભક્તિનો પ્રચાર કરનાર એવા હિંદુ ધર્મ ઉદ્ધારક વૈષ્ણવ આચાર્ય જગદગુરુ રામાનંદાચાર્યજીની ૭૨૪ મી જન્મ જયંતીની ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુપૂજન વિધિ ત્યારબાદ સૌ જ્ઞાતિબંધુઓએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને જાણીતા કથાકાર રસિકભાઈ આગવી છટામાં કરી આચાર્યજી વિશે માહિતી આપી હતી અને તેજસ્વી તારલાઓનું સન્માન અને સંત સભાનું આયોજન થયું હતું જેમાં આવતાં ત્રણ વર્ષના સમુહભોજનના દાતાઓએ નામ નોંધાવ્યા હતા આ વર્ષે ભોજનના દાતા રઘુરામ રતિલાલભાઈ કુબાવત રોહીશાળા વાળા હતા અને શિલ્ડના દાતા શિક્ષક રવીભાઈ રામાનુજ હતા. આ વર્ષે શ્રી રામચંદ્રજી અને રામાનંદાચાર્ય  વિશે પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન થયેલું હતું જેનું સંચાલન નરેન્દ્રભાઈ કુબાવતએ કર્યું હતું






Latest News