હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના સરદારનગર ગામે વૃદ્ધ દંપતીને માર મારીને ૪૫૦૦૦ થી વધુની લૂંટ, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE













માળિયા (મી)ના સરદારનગર ગામે વૃદ્ધ દંપતીને માર મારીને ૪૫૦૦૦ થી વધુની લૂંટ, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ પાસે આવેલ સરદારનગરમાં રહેતા નિવૃત નાયબ મામલતદારના મોટાભાઈ અને ભાભીના ઘરમાં રાત્રિના સમયે ચાર અજાણ્યા શખ્સો ઘુસ્યા હતા અને ત્યાં રહેતા વૃદ્ધ દંપતિને માર મારવામાં આવ્યો હતો અને ઘરમાંથી રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવેલ છે આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ વૃદ્ધાએ ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામ પાસે સરદારનગરમાં રહેતા મગનભાઈ જાદવજીભાઈ સુરાણી (૬૬) અને તેના પત્ની જશુબેન મગનભાઇ સુરાણી (૬૧) રવિવારે રાતના સમયે ઘરમાં હતા દરમિયાન રાત્રીના ત્રણથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચાર શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા અને મગનભાઈના પત્ની રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં બાથરૂમ કરવા માટે થઈને પોતાના ઘરમાં આવેલ બાથરૂમમાં ગયા હતા અને ત્યાંથી તે પરત પોતાના ઘરમાં જતા હતા ત્યારે ઘરમાં ઘૂસી આવેલા અજાણ્યા શખ્સોએ તેમને ધક્કો મારીને ઓસરીમાં પાડી દીધા હતા અને ઘરમાં ઘુસીને લુંટ કરી હતી જે બનાવની ભોગ બનેલ જશુબેન મગનભાઇ સુરાણીએ ચાર અજાણ્યા શખ્સોની સામે ફરીયાદ નોંધાવી છે

જેમાં જણાવ્યુ છે કે, જે અજાણ્યા શખ્સો ઘરમાં આવી ગયા હતા તેને ત્યાં સૂતેલા મગનભાઈ સુરાણીને માથા અને કાનના ભાગે લાકડાનો ધોકો મારીને ઇજા કરી હતી તેમજ તેઓના પત્નીને ડરાવ્યા ધમકાવ્યા હતા અને તેઓએ કાનમાં પહેરેલા સોનાના બૂટિયા તેમજ કબાટમાં રાખેલા સાત જોડી ચાંદીના સંકળા તથા ૫૦૦૦ રૂપિયા રોકડાની લૂંટ કરી હતી ત્યાર બાદ આ શખ્સો ત્યાંથી ૪૫,૦૦૦ થી વધૂનો મુદામાલ લઇને નાસી ગયેલ છે  બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવેલ છે અને ડોગ સ્કવોડ પીપળીયા ચોકડી સુધી આવી હતી તેવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે જો કે, ઘરમાં લુંટ કરીને નાસી ગયેલ ચારેય શખ્સોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે પરંતુ ચારેય આરોપી કયારે પકડશે તે સમય જ બતાવશે 

મોરબી જિલ્લામાં ચોરી અને ચોરીનો પ્રયાસલૂંટ અને લૂંટનો પ્રયાસધાડ અને ધાડનો પ્રયાસ,  હત્યા અને હત્યાનો પ્રયાસજુગારનસીલા પદાર્થોનું વેચાણ વિગેરે જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે જેથી કરીને પોલીસની નાઈટ પેટ્રોલિંગ સહિતની કામગીરી સામે સવાલો ઉઠતા હોય છે તેવામાં રાત્રિના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવતા સરવડ ગામ પાસે સરદારનગરમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરને અજાણ્યા ચાર શખ્સો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું જો કેઆરોપી ક્યારે પકડાશે તે સૌથી મોટો સવાલ છે






Latest News