મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો


SHARE







મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો

મોરબી-માળીયા (મીં) ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાના મોટા દીકરા ડૉ. પ્રશાંત મેરજાનું 23 વર્ષે કાર અકસ્માતમાં કરૂણ નિધન થયું હતું અને તેની સ્મૃતિમાં સર્વરોગ નિદાન, સારવાર અને ફ્રી દવાનો કેમ્પ દર વર્ષે યોજાતો હોય છે. તેવી જ રીતે મોરબીના વાવડી ખાતે આવેલ વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે કબીર ધામ મહંત શિવરામ સાહેબની હાજરીમાં કેમ્પ યોજાયો હતો અને પૂર્વ આરોગ્ય મંત્રી આઈ. કે. જાડેજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિત રાજકીય અગ્રણીઓએ આ કેમ્પની મુલાકાત લીધી હતી.

ડૉ. પ્રશાંતનું એવું સપનું હતું કે પોતે પ્રાઈવેટ પ્રેક્ટિસ કરશે ત્યારે ગરીબ દર્દીઓની મફત સારવાર કરશે. કમનશીબે તેઓ હયાત ન રહ્યા પણ તેમના વિચારને સદૈવ જીવંત રાખવા તેમની સ્મૃતિમાં પ્રતિવર્ષ આવો મેડિકલ કેમ્પ યોજાતો હોય છે. આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના 10 જેટલા નિષ્ણાંત ડૉક્ટરો જેમ કે ડૉ. ભાવિન ગામી, ડૉ. યોગેશ પેથાપરા, ડૉ. ઉમેશ ગોધવીયા, ડૉ. નિધિ સુરાણી ભાડજા, ડૉ. મનસુખ પરમાર અને ડૉ. કલ્પેશ રંગપરિયા વગેરે એ 400 જેટલા દર્દીઓને તપાસ્યા હતા અને કેમ્પ આયોજક સન્ની મેરજાના માર્ગદર્શનમાં મફત દવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં ગરીબ દર્દીઓ પરત્વે સંવેદના દાખવતાં સુશીલા બ્રિજેશ મેરજાએ વૃધ્ધ અને અશક્ત દર્દીઓની ખડેપગે સેવા કરી હતી. આ મેડિકલ કેમ્પમાં શિક્ષણ સાથે સંકળાયેલા બી.એ.ગામી, દિનેશભાઈ વડસોલા, પરબતભાઈ આહીર, મણિલાલ સરડવા તેમજ રાજકીય અને સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા કેશુભાઈ ગામી, પ્રવીણ મેરજા અને વેદાંત સ્કૂલની ટીમનું યોગદાન સરાહનીય રહ્યું હતું. આ કેમ્પમાં સેવા આપનાર તજજ્ઞ ડૉક્ટરો અને ઉપસ્થિત મહાનુભાવોને રામ મંદિર અયોધ્યા, તેમજ પ્રશાંતની સ્મૃતિમાં પ્રકાશિત કરેલ તાત્પર્ય કિતાબ સન્ની મેરજા, સુરેશભાઇ સરડવા અને રમેશભાઈ મેરજા તરફથી આપવામાં આવી હતી.






Latest News