મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં કાલે વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસ ઉજવાશે 


SHARE













મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં કાલે વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસ ઉજવાશે 

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં માતા-પિતા પૂજન દિવસ અને સૂર્ય નમસ્કાર દિવસની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતી કાલે તા ૧૪ ના રોજ વેલેન્ટાઇન ડે નહીં પરંતુ માતા પિતા પૂજન દિવસ કરશે તેની સાથે જ મહા સુદ પાંચમ વસંત પંચમી હોવાથી સરસ્વતી પૂજન કરવામાં આવશે તેવી જ રીતે તા ૧૬ ના રોજ સૂર્ય નમસ્કાર દિવસની ઉજવણી કરાશે તેની સાથે મહા સુદ સાતમ, રથ સપ્તમી-આરોગ્ય સપ્તમી, માં નર્મદા જયંતીની તે દિવસે ઉજવણી કરાશે

કાલે ૧૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જ્યારે વેલેન્ટાઈન ડે ઉજવવાની પરંપરા છે ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં આ દિવસને માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવશે. આ જ દિવસે મહાસુદ પાંચમના રોજ વસંત પંચમી પણ હોય સરસ્વતી મા નુ પૂજન પણ કરવામાં આવશે. અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું પૂજન કરશે. તેમજ તા ૧૬ ફેબ્રુઆરીએ મહાસુદ સાતમ એટલે કે રથ સપ્તમી આરોગ્ય સપ્તમી ના દિવસે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવવાની પરંપરા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર કરશે 






Latest News