મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે રથ સપ્તમી દિવસને સૂર્ય નમસ્કાર દિવસ તરીકે ઉજવાયો


SHARE













મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે રથ સપ્તમી દિવસને સૂર્ય નમસ્કાર દિવસ તરીકે ઉજવાયો

મોરબીમાં સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે રથ સપ્તમી દિવસને સૂર્ય નમસ્કાર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તા ૧૬ ફેબ્રુઆરીએ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા અને ત્યારે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતું કે, યોગ આસનોમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ છે. આ એક માત્ર આસનથી શરીરને પૂર્ણ વ્યાયામ મળે છે. તેના રોજિંદા અભ્યાસથી આપણું શરીર રોગમુક્ત, સ્વસ્થ બને છે અને આપણો ચહેરો ચમકદાર બને છે.  મહિલાઓ હોય કે પુરૂષો, બાળકો હોય કે વૃદ્ધો, સૂર્ય નમસ્કાર દરેક માટે ખૂબ જ ફાયદાકારક છે વધુમાં જણાવ્યુ હતું કે, સૂર્ય નમસ્કારમાં કુલ ૧૨ મુદ્રાઓનો સમાવેશ થાય છે આજે (રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી ,નર્મદા જયંતીના દિવસે) સાર્થક વિદ્યા મંદિર ખાતે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવાયો હતો. અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે સાર્થક વિદ્યામંદિરના દરેક ધોરણમાં સૂર્ય નમસ્કાર શીખવવામાં આવે છે અને કરાવવામાં આવે છે પરંતુ આજના દિવસને અનુસંધાને યુકેજીના બાળકો તેમજ ધો. ૯ થી ૧૧ ના વિદ્યાર્થીઓને ઉજવણીમાં સંમેલિત કરવામાં આવ્યા હતા. અને સાર્થક વિદ્યામંદિરના યોગ આચાર્યો કમલેશભાઈ, તેજલબેન, મીનલબેન અને પાયલબેન દ્વારા સૂર્ય નમસ્કાર કરાવાયા હતા તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે માહિતી આપતા જણાવ્યુ હતું






Latest News