મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરનાં દિવ્યાંગ સરફુનિશાબેનને ખેત મજૂરી કામમાંથી મળી મુક્તિ


SHARE











વાંકાનેરનાં દિવ્યાંગ સરફુનિશાબેનને ખેત મજૂરી કામમાંથી મળી મુક્તિ

સરકારએ સમાજના દરેક વર્ગના લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેમાં સમયાંતરે વધુ ઉદારતા બતાવી વધુ લોકોને આવરી લીધા છે. દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે અને તેમને વિકાસની મુખ્યધારામાં લાવવા અનેક દિવ્યાંગ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક દિવ્યાંગ લગ્ન સહાય યોજના થકી મોરબી જિલ્લાના દિવ્યાંગ દંપતીને  લાભાન્વિત કરવામાં આવ્યા છે.


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠી ગામના સરફુનીશાબેન તોફિકભાઈ માથકીયાએ જણાવ્યું હતું કે, અમે બંને પતિ-પત્ની દિવ્યાંગ છીએ. સમાજ સુરક્ષા કચેરી મોરબી દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય મંજૂર કરવામાં આવી હતી. દંપતી દિવ્યાંગ હોવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. જેના કારણે અમારા દાંપત્ય જીવનમાં ઘણી વખત નિરાશાઓનો અનુભવ કરતાં હતા. દિવ્યાંગ લગ્ન સહાય મળ્યા બાદ અમારી આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ૧,૦૦,૦૦૦ ની રકમ મળી હતી. આ રકમમાંથી અમે ઇમિટેશનનો ધંધો શરૂ કરેલ છે અને આમાંથી અમારા પરિવારનું ગુજરાન ચાલાવીએ છીએ. આ રીતે આર્થિક રીતે પગભર થવા દિવ્યાંગ લગ્ન સહાય અમોને મદદરૂપ થયેલ છે. આ માટે અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ.

સરફુનીશાબેનએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા પાસે રોજગારી માટે કોઈ સાધન ન હતું અને અમે બંને પતિ-પત્ની ખેત મજૂરી કરતાં હતા ત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. અનેકવાર હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. સરકાર દ્વારા મળેલ દિવ્યાંગ લગ્ન સહાય અમારા માટે જીવાદોરી સમાન છે. આ સહાય અમને રોજગારી પૂરી પાડી રહી છે. આ સહાયથી ચાલુ કરેલ ઇમિટેશનના વ્યવસાયમાંથી દર મહિને સારી એવી કમાણી કરી ગુજરાન ચલાવી રહ્યા છીએ. નોંધનીય છે કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ લગ્ન કરે તો ૫૦,૦૦૦+ ૫૦,૦૦૦ લેખે ૧,૦૦,૦૦૦ ની તેમજ દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો ૫૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે.






Latest News