લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ ને ટ્રાયસિકલ આપવામાં આવી
SHARE
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ ને ટ્રાયસિકલ આપવામાં આવી
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સેવાપરમો ધર્મની ભાવના સાથે દિવ્યાંગ એવા બાબુભાઈ કંઝારિયાને શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે ઉમિયા સર્કલ પાસે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયા અને લાયન્સ કલબના સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, મંદિરના પુજારી ગૌતમભાઈ ગોસ્વામી તેમજ સેવાભાવી સભ્યોની હાજરીમાં આપવામાં આવી હતી.આ સાયકલથી દિવ્યાંગ સમાજમાં હરીફરી શકે તેવી શુભભાવના સાથે આ ટ્રાયસિકલ આપવામાં આવી છે.તેમ સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયા દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે