હળવદ અને વાંકાનેરમાં જુદી જુદી બે રેડમાં 319 બોટલ દારૂ ઝડપાયો મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીનાં લક્ષ્મીનગર પાસે ઓફીસમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત


SHARE













મોરબીનાં લક્ષ્મીનગર પાસે ઓફીસમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓફીસમાં યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું ઘટના  સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરીને યુવાનને મૃતદેહને સિવિલે પીએમ માટે ખસેડાયો હતો અને હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓફીસમાં સંદિપ રૂગનાથભાઇ જેઠલોજા (ઉ.૩૮) રહે. નવી પીપળી વાળાએ કોઈ કારણોસર ગઇકાલે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાની ઓફીસમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ભીમસર નજીક આવેલા ત્રણ માળીયામાં રહેતો વિપુલભાઈ રાજુભાઈ સોલંકી (૨૩) અને કિશોરભાઈ ભીમાભાઇ સોલંકી (૨૨) રહે.ભારતનગર સામેકાંઠે મોરબી-૨ વાળાઓને માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામના બાયપાસ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા મુકેશભાઈ અશોકભાઈ દેલવાડીયા નામના ૨૨ વર્ષના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર અર્થે સિવિલે ખસેડાયો હતો. તે રીતે જ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગર ગામે થયેલ મારામારીના બનાવમાં જ્યોતિબેન ચમનભાઈ પરમાર નામના ૪૨ વર્ષીય મહીલાને સારવારમાં ખસેડાયા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યોતિબેનને તેઓના પતિએ માર માર્યો હતો જેથી તેમને સારવાર માટે ખસેડાયા છે.




Latest News