મોરબી જીલ્લામાં 40 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ: કલેક્ટર મોરબી જીલ્લામાં મહાનગરપાલિકા, પાલિકા અને તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગના કાર્યક્રમોનું આયોજન મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન મોરબીમાં પિતાની સ્મૃતિમાં મયુર હોસ્પીટલ ખાતે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીની સંસ્થાઓના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા આદેશ મોરબી: ડેસ્ક યોગા, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે યોગ ધારાસભ્યની જહેમત રંગ લાવી: વાંકાનેરના ઢુવા ગામે વીજ કંપનીનું ફોલ્ટ સેન્ટર મંજૂર મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારામાં આર્યવીર દળ દ્વારા ૨૩ મી માર્ચ શહિદ દિન નિમિતે મશાલ રેલીનું આયોજન


SHARE

















ટંકારામાં આર્યવીર દળ દ્વારા ૨૩ મી માર્ચ શહિદ દિન નિમિતે મશાલ રેલીનું આયોજન

ટંકારામાં આર્ય સમાજની યુવા પાંખ આર્યવીર દળ દ્વારા ૨૩ મી માર્ચ શહિદ દિન નિમિતે ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેલીમાં જોડાવા માટે ટંકારાવાસીઓને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે.

ટંકારાના આર્યવીર દળ દ્વારા આગામી તા.૨૩ માર્ચના રોજ રાત્રીના ૮ કલાકે વિદેશી વિધર્મી અંગ્રેજ શાસકોને ભારતમાંથી હાંકી કાઢવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર વિર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના શહીદદિને તેઓને શ્રદ્ધાંજલિ આપવા અને દેશમાં થતા અન્યાય સામે બંડ પોકારી આજનો યુવાન દેશદાઝથી તેના પ્રાણ પણ માતૃભૂમિ માટે ન્યોછાવર કરી શકે તેવી ભાવના પ્રજ્વલિત કરવાના ઉમદા હેતુ સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.મશાલ રેલીનું પ્રસ્થાન ટંકારા સોસાયટી વિસ્તારમાં આવેલ પટેલનગર બસ સ્ટેન્ડ પાછળથી કરાવશે.મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર નિકળી ત્રણ હાટડી આર્ય સમાજ ખાતે પુર્ણ થશે.આ તકે બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારાની જનતાને આર્ય સમાજના દેવકુમાર પડસુંબિયાએ અપીલ કરી છે.આર્યવીર દળના ચેતન સાપરીયા, પંડિત સુહાસ, રજનીકાંત મોરસાણીયા, યોગેશ કારાવડિયા, હસમુખજી દુબરીયા, ભાવિન ગઢવી, કોરીંગા બ્રધર્સ, ધિરૂભાઈ ભિમાણી સમાજની આર્ય વિરાંગના સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News