મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે પથારીમાં સૂતેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE









મોરબીમાં ઘરે પથારીમાં સૂતેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઘરે પથારીમાં સૂતો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ ૧૦૮ મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં સાઈબાબા મંદિર પાસે રહેતા જીવનસિંગ વિજેન્દ્રસિંગ રાજપૂત (૪૫) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે પથારીમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું જેથી તેને ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે હાર્ટ અટેકથી યુવાણનું મોત નીપજયું હોવાનું જણાવ્યુ હતું અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે બનાવની વધુ તપાસ પ્રફુલભાઇ પરમાર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા સંદીપ ચુનીલાલ (૨૧) નામના યુવાનને મોરબીના શનાળા રાજપર રોડ ઉપર આવેલા મંદિર પાસે વાહન અકસ્માતના બનાવ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ ખોખાણી શેરીમાં રહેતા ભરતભાઈ મગનલાલ અખાણી (૬૭)  નામના વૃદ્ધ બાઈકમાં મોરબીમાં ગ્રીનચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતના બનાવમાં ભરતભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળ વવધુ તપાસ ભરતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે






Latest News