મોરબીમાં યુવાનને માર મારનાર વેપારી સહિતના પાંચ શખ્સો સામે પોલીસ કાર્યવાહી
મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઇ પટેલના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર
SHARE









મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઇ પટેલના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે પૈકીનાં જયસુખભાઇ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને આ કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખભાઇ પટેલના જામીન અરજીને મંજૂર કરેલ છે
મોરબીમાં ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા અને તે પૈકીનાં કુલ મળીને ૬ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવેલ હતી જેમાં સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે જયસુખભાઇ પટેલના રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે તેવી માહિતી મોરબીની કોર્ટમાં જયસુખભાઇ પટેલના વકીલ અનિલભાઈ દેસાઇ પાસેથી જાણવા મળેલ છે

