મોરબી જીલ્લામાં 40 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ: કલેક્ટર મોરબી જીલ્લામાં મહાનગરપાલિકા, પાલિકા અને તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગના કાર્યક્રમોનું આયોજન મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન મોરબીમાં પિતાની સ્મૃતિમાં મયુર હોસ્પીટલ ખાતે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીની સંસ્થાઓના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા આદેશ મોરબી: ડેસ્ક યોગા, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે યોગ ધારાસભ્યની જહેમત રંગ લાવી: વાંકાનેરના ઢુવા ગામે વીજ કંપનીનું ફોલ્ટ સેન્ટર મંજૂર મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઇ પટેલના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર


SHARE

















મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઇ પટેલના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે પૈકીનાં જયસુખભાઇ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને આ કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખભાઇ પટેલના જામીન અરજીને મંજૂર કરેલ છે

મોરબીમાં ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા અને તે પૈકીનાં કુલ મળીને ૬ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવેલ હતી જેમાં સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે જયસુખભાઇ પટેલના રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે તેવી માહિતી મોરબીની કોર્ટમાં જયસુખભાઇ પટેલના વકીલ અનિલભાઈ દેસાઇ પાસેથી જાણવા મળેલ છે






Latest News