મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર, ચાચાપર તેમજ નસીતપર ગામના લોકોએ હિંસક પ્રાણીને પાંજરે પૂરવા કલેક્ટરને કરી રજૂઆત


SHARE











મોરબીના રાજપર, ચાચાપર તેમજ નસીતપર ગામના લોકોએ હિંસક પ્રાણીને પાંજરે પૂરવા કલેક્ટરને કરી રજૂઆત

મોરબી તાલુકાના રાજપર, ચાચાપર તથા ટંકારા તાલુકાના નસીતપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન હિંસક પ્રાણીના આંટા ફેરા હોય છે અને થોડા દિવસો પહેલા નદીના કાંઠે ઈંટોના ભઠ્ઠા પાસે એક યુવાન ઉપર હિંસક પ્રાણીએ હુમલો કરીને તેને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને આ અંગેની જાણ ટંકારાના વન વિભાગને કરવામાં આવી છે તેમ છતાં પણ હિંસક પ્રાણીને પકડવા માટે થઈને કોઈ નક્કર કાર્યવાહી હજુ સુધી કરવામાં આવેલ નથી ત્યારે રાજપર, ચાચાપર અને ટંકારા તાલુકાના નસીતપર સહિતના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સહિતના આગેવાનો દ્વારા મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને ત્યાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને વન વિભાગ દ્વારા ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારોની આસપાસમાં આંટા ફેરા કરતા હિંસક પ્રાણીને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે






Latest News