મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં ટંકારાના મિતાણા પાસે અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરનારને ઠપકો આપનારા યુવાનને ફોર્ચ્યુનારના ચાલકે મોઢામાં ઢીકા મારીને કારમાં નુકશાન કર્યું મોરબીના રવાપરમાં આવેલ આધ્યા હાઈટ્સના ફલેટમાં જુગાર રમતા 8 શખ્સ 7.20 લાખની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: ટંકારામાં આધેડે ઘરની અંદર કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી દારૂની નાની 18 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર માટે ચાલતા ખેડૂત આંદોલનને મંત્રીના ભાઈએ આપ્યું સમર્થન: ગાંધીનગર ખાતે રેલી-રજૂઆતમાં ખેડૂતોને જોડાવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું આહ્વાન મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબી જીલ્લાના માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનને રાપર-મણાબા વચ્ચે વાહન અકસ્માત બનાવમાં ગંભીર ઈજાઓ થતા મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો. જયાં તેનું મોત નિપજેલ છે.

 સરવડ તા.માળીયા (મીં) જી. મોરબીના રહેવાસી સાજનભાઈ હરજીભાઈ દેલવાણીયા નામના 22 વર્ષના યુવાનને રાપર અને મણાબા ગામની વચ્ચે વાહન અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા રાજકોટ ખસેડાયો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. રાજકોટથી જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના લાલભા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા
 સામાકાંઠે જીવરાજ પાર્કમાં રહેતા બળદેવ વશરામભાઈ પરમાર (34) અને ઘુંટુ પાસેની હરીઓમ સોસાયટીમાં રહેતા બળદેવ ભીમજીભાઈ ઓગનીયા કોળી (39) નામના બે યુવાનો કારમાં બેસીને ગોંડલ ખાતેથી જઈ રહ્યા હતા.

ત્યારે બાઈક સવારએ તેમને રોકીને માર માર્યો હતો. જેથી બંનેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે મોરબી-કંડલા બાયપાસ પચ્ચીસ વારીયા નજીક મારામારીમાં ઈજાઓ થતા સમીર ઈકબાલભાઈ કાબરા (16) રહે. વાંકાનેરને ઈજાઓ થતા સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો. જયરે સુરેન્દ્રનગર જીલ્લાના દુધરેજ ખાતે આશ્રમમાં રહેતા ભીખાભાઈ છાલાભાઈ (79)ને હળવદ સિવિલ બાદ 108 વડે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.

રાજકોટ ખસેડાયો
 વાંકાનેર હાઈવે ઢુવા નજીક સિરામીક યુનીટના લેબર કવાર્ટરમાં બીજા માળેથી નીચે પટકાતા સંજુદાસ ઉમાકાંતદાસ (25) નામના યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જયારે હળવદ ભવાનીનગરમાં રહેતા ગોપાલ લીલાભાઈ ગોહિલ (33)ને રાયસંગપર ખાતે મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

ટંકારાના હિરાપર ગામે આવેલ તથાસ્તુ પોલીપેક ખાતે રહી મજુરીકામ કરતા રોશન જયરામભાઈ પાસવાન (19) નામના યુવાનને ઈલે.શોર્ટ લાગતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

 જયારે હળવદના ભવાનીનગર ખાતે રહેતા સુનિલ દિનેશભાઈ ઝીંઝુવાડીયા (22)ને મારામારીમાં ઈજા થતા તેમજ વાવડી રોડ ખાતે રહેતા સોનલબેન છોટાલાલ ભરવાડને ઢુવા નજીક બ્રીજ પાસે મારામારીમાં ઈજા થતા સિવિલે સારવારમાં લવાયા હતા.






Latest News