મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના હત્યાના કેશના આરોપીનો શરતી જામીન ઉપર છુટકારો


SHARE

















વાંકાનેરના હત્યાના કેશના આરોપીનો શરતી જામીન ઉપર છુટકારો

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને મરણજનાર મજુરને ચોર સમજીને તા.૧૨-૫-૨૩ ના રોજ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં દશામાઁ ના મંદિરે તેમજ ઈકો ગાડીમાં બેસાડી અલગ-અલગ જગ્યાઓએ તેમજ મચ્છુ નદીના પટમાં તેમજ વીસીપરાથી લુણસરીયા તરફ જતાં રોડ ઉપર ઢીકાપાટુનો માર મારીને સુતરના દોરાથી તેમજ પ્લાસ્ટિકના પાઈપથી શરીર ઉપર આડેધડ માર માર્યો હતો દેને લઇને તે યુવાનનું મોત નીપજયુ હતુ.આ અંગેના ગુન્હાની ફરીયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે કલમ ૩૦૨, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૯ તથા૧૩૫ મુજબ મોસીનભાઈ કાસમભાઈ અજમેરી તથા અન્ય ૬ આરોપીઓની ધરપકડ કરેલ હતી.

આરોપી મોસીનભાઈ કાસમભાઈ અજમેરીએ મોરબીના યુવા ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરેલ.બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ.કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપી મોહસીનને શરતી જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો.આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીંઝુવાડીયા, ૨વી ચાવડા અને હીતેશ પરમાર રોકાયેલા હતા.




Latest News