વાંકાનેરના હત્યાના કેશના આરોપીનો શરતી જામીન ઉપર છુટકારો
SHARE






વાંકાનેરના હત્યાના કેશના આરોપીનો શરતી જામીન ઉપર છુટકારો
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને મરણજનાર મજુરને ચોર સમજીને તા.૧૨-૫-૨૩ ના રોજ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં દશામાઁ ના મંદિરે તેમજ ઈકો ગાડીમાં બેસાડી અલગ-અલગ જગ્યાઓએ તેમજ મચ્છુ નદીના પટમાં તેમજ વીસીપરાથી લુણસરીયા તરફ જતાં રોડ ઉપર ઢીકાપાટુનો માર મારીને સુતરના દોરાથી તેમજ પ્લાસ્ટિકના પાઈપથી શરીર ઉપર આડેધડ માર માર્યો હતો દેને લઇને તે યુવાનનું મોત નીપજયુ હતુ.આ અંગેના ગુન્હાની ફરીયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે કલમ ૩૦૨, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૯ તથા૧૩૫ મુજબ મોસીનભાઈ કાસમભાઈ અજમેરી તથા અન્ય ૬ આરોપીઓની ધરપકડ કરેલ હતી.
આરોપી મોસીનભાઈ કાસમભાઈ અજમેરીએ મોરબીના યુવા ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરેલ.બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ.કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપી મોહસીનને શરતી જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો.આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીંઝુવાડીયા, ૨વી ચાવડા અને હીતેશ પરમાર રોકાયેલા હતા.


