વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE

















હળવદના એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર

હળવદના નાર્કોટીક્સ ડ્રગ્સના ગુનામાં પકડાયેલા આરોપીએ તેના વકીલ મારફતે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકિશન ગુર્જરના જામીન મંજૂર કરેલ છે

હળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલ એનડીપીએસના ગુનામાં આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરકિશન ગુર્જરની ધરપકડ કરી હતી અને જે તે સમયે આરોપી પાસેથી પોસ ડોડા ૩ કિલો ૩૩૧ ગ્રામ માલ મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપી ભેરૂલાલને જેલ હવાલે કરેલ હતો અને આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મારફત મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં જામીન અરજી કરી હતી અને જામીન અરજીના કામે આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) એ દલીલ કરેલ હતી તેને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના ૪૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા કુ. મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા




Latest News