મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE













હળવદના એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર

હળવદના નાર્કોટીક્સ ડ્રગ્સના ગુનામાં પકડાયેલા આરોપીએ તેના વકીલ મારફતે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકિશન ગુર્જરના જામીન મંજૂર કરેલ છે

હળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલ એનડીપીએસના ગુનામાં આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરકિશન ગુર્જરની ધરપકડ કરી હતી અને જે તે સમયે આરોપી પાસેથી પોસ ડોડા ૩ કિલો ૩૩૧ ગ્રામ માલ મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપી ભેરૂલાલને જેલ હવાલે કરેલ હતો અને આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મારફત મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં જામીન અરજી કરી હતી અને જામીન અરજીના કામે આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) એ દલીલ કરેલ હતી તેને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના ૪૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા કુ. મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા






Latest News