મોરબીમાં ધંધામાં ગયેલ ખોટને સરભર કરવા કેમિકલ ચોરીનો શોર્ટકટ અપનાવ્યો !: ચારેય આરોપી જેલ હવાલે મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત વાંકાનેરના પીપળીયારાજ પીએસસીના જુદાજુદા ગામમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં મોરબીના લાયસન્સનગરના મેઇન રોડ પર ખુલ્લી ગટરમાં બે સીએનજી રિક્ષા ખાબકી ! મોરબીમાં લાયન્સ કલબ દ્વારા ત્રીજું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી ચેકઅપ કેન્દ્ર લોકાર્પણ કરાયું હળવદમાં આવેલ માર્કેટ યાર્ડ ખાતે લોન મેળો યોજાયો મોરબીના સનાળા ગામ પાસેથી સેમી ઓટોમેટીક પીસ્તોલ સાથે એકની ધરપકડ: હથિયાર-કાર સહિત 5.10 લાખનો મુદ્દામાલ કબજે મોરબી લાતી પ્લોટના રોડ રસ્તા, ગટર, વરસાદી પાણીના પ્રશ્નો ઉકેલવા વાજતે ગાજતે પાલિકા સુધી આમ આદમી પાર્ટીની રેલી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE







હળવદના એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર

હળવદના નાર્કોટીક્સ ડ્રગ્સના ગુનામાં પકડાયેલા આરોપીએ તેના વકીલ મારફતે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકિશન ગુર્જરના જામીન મંજૂર કરેલ છે

હળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલ એનડીપીએસના ગુનામાં આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરકિશન ગુર્જરની ધરપકડ કરી હતી અને જે તે સમયે આરોપી પાસેથી પોસ ડોડા ૩ કિલો ૩૩૧ ગ્રામ માલ મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપી ભેરૂલાલને જેલ હવાલે કરેલ હતો અને આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મારફત મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં જામીન અરજી કરી હતી અને જામીન અરજીના કામે આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) એ દલીલ કરેલ હતી તેને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના ૪૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા કુ. મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા




Latest News