મોરબીમાં પત્નીના પૂર્વ મંગેતર દ્વારા યુવાન ઉપર પાઇપ વડે હુમલો
હળવદના એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર
SHARE







હળવદના એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર
હળવદના નાર્કોટીક્સ ડ્રગ્સના ગુનામાં પકડાયેલા આરોપીએ તેના વકીલ મારફતે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકિશન ગુર્જરના જામીન મંજૂર કરેલ છે
હળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલ એનડીપીએસના ગુનામાં આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરકિશન ગુર્જરની ધરપકડ કરી હતી અને જે તે સમયે આરોપી પાસેથી પોસ ડોડા ૩ કિલો ૩૩૧ ગ્રામ માલ મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપી ભેરૂલાલને જેલ હવાલે કરેલ હતો અને આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મારફત મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં જામીન અરજી કરી હતી અને જામીન અરજીના કામે આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) એ દલીલ કરેલ હતી તેને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના ૪૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા કુ. મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા

