મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી : વૈવાહિક વિવાદો માટે કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલત માટે હેલ્પ ડેસ્ક ખુલ્લુ મુકાયુ


SHARE







મોરબી : વૈવાહિક વિવાદો માટે કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલત માટે હેલ્પ ડેસ્ક ખુલ્લુ મુકાયુ

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-મોરબીના અધ્યક્ષ આર.જી.દેવધરાના માર્ગદર્શન અને સૂચના મુજબ "મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ્સ માટે કાયમી પ્રી-લિટીગેશન લોક અદાલત" હેઠળ અરજદારોને સહકાર આપવા અને મદદ કરવા માટે ફેમિલી કોર્ટ પાસે "હેલ્પ ડેસ્ક"ની સ્થાપના કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં, માનનીય મુખ્ય ન્યાયાધીશ (પેટ્રોન-ઇન-ચીફ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ) સુનીતા અગ્રવાલે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

સિસ્ટમના માનક ઓપરેટિંગ પ્રક્રિયા (એસઓપી) ના ફકરા ૨ માં નિર્ધારિત મુજબ "હેલ્પ ડેસ્ક" સંપૂર્ણપણે કાર્યરત કરવામાં છે અને પેરા લીગલ વોલેન્ટીયર્સની નિમણૂક કરવામાં આવી છે. એ.એમ.વાનાણી, પ્રિન્સિપલ ફેમિલી જજ, મોરબી એ "હેલ્પ ડેસ્ક"નું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતુ.ઉદઘાટન દરમિયાન એ.એમ.વાનાણીએ અરજદારોને પૂરી પાડવામાં આવેલ સહાયને મહત્તમ કરવા માટે આ યોજના માટે ખુબ જ વ્યાપક પ્રચારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-મોરબીના અધ્યક્ષ આર.જી.દેવધરાએ ઉદ્ઘાટન દરમિયાન સિસ્ટમની સતત દેખરેખના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો.તેમણે રજિસ્ટરની નિયમિત જાળવણી અને સિસ્ટમની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) માં નિર્ધારિત પ્રક્રિયાઓનું કડક પાલન કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.વધુમાં, તેમણે નિર્દેશ આપ્યો હતો કે માહિતી અને પ્રચારના પ્રયાસો થકી ગ્રામ્ય સ્તર સુધી વિસ્તારવા ઉપર ભાર મૂક્યો હતો.જેથી કરીને સિસ્ટમના લાભો મહત્તમ અરજદારો સુધી પહોંચે.આ કાર્યક્રમમાં અન્ય ન્યાયાધીશો, મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા તેમજ તેમની ટીમ, સ્ટાફ સભ્યો, એલએડીસી, પેનલ એડવોકેટ્સ અને પેરા-લીગલ સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News