ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી : વૈવાહિક વિવાદો માટે કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલત માટે હેલ્પ ડેસ્ક ખુલ્લુ મુકાયુ


SHARE











મોરબી : વૈવાહિક વિવાદો માટે કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલત માટે હેલ્પ ડેસ્ક ખુલ્લુ મુકાયુ

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-મોરબીના અધ્યક્ષ આર.જી.દેવધરાના માર્ગદર્શન અને સૂચના મુજબ "મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ્સ માટે કાયમી પ્રી-લિટીગેશન લોક અદાલત" હેઠળ અરજદારોને સહકાર આપવા અને મદદ કરવા માટે ફેમિલી કોર્ટ પાસે "હેલ્પ ડેસ્ક"ની સ્થાપના કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં, માનનીય મુખ્ય ન્યાયાધીશ (પેટ્રોન-ઇન-ચીફ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ) સુનીતા અગ્રવાલે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

સિસ્ટમના માનક ઓપરેટિંગ પ્રક્રિયા (એસઓપી) ના ફકરા ૨ માં નિર્ધારિત મુજબ "હેલ્પ ડેસ્ક" સંપૂર્ણપણે કાર્યરત કરવામાં છે અને પેરા લીગલ વોલેન્ટીયર્સની નિમણૂક કરવામાં આવી છે. એ.એમ.વાનાણી, પ્રિન્સિપલ ફેમિલી જજ, મોરબી એ "હેલ્પ ડેસ્ક"નું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતુ.ઉદઘાટન દરમિયાન એ.એમ.વાનાણીએ અરજદારોને પૂરી પાડવામાં આવેલ સહાયને મહત્તમ કરવા માટે આ યોજના માટે ખુબ જ વ્યાપક પ્રચારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-મોરબીના અધ્યક્ષ આર.જી.દેવધરાએ ઉદ્ઘાટન દરમિયાન સિસ્ટમની સતત દેખરેખના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો.તેમણે રજિસ્ટરની નિયમિત જાળવણી અને સિસ્ટમની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) માં નિર્ધારિત પ્રક્રિયાઓનું કડક પાલન કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.વધુમાં, તેમણે નિર્દેશ આપ્યો હતો કે માહિતી અને પ્રચારના પ્રયાસો થકી ગ્રામ્ય સ્તર સુધી વિસ્તારવા ઉપર ભાર મૂક્યો હતો.જેથી કરીને સિસ્ટમના લાભો મહત્તમ અરજદારો સુધી પહોંચે.આ કાર્યક્રમમાં અન્ય ન્યાયાધીશો, મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા તેમજ તેમની ટીમ, સ્ટાફ સભ્યો, એલએડીસી, પેનલ એડવોકેટ્સ અને પેરા-લીગલ સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News