મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

હળવદના ચુંપણી ગામે પત્નીને મરવા મજબુર કરવાના ગુનામાં પતિ સહીત બેનો નિર્દોષ છુટકારો


SHARE













હળવદના ચુંપણી ગામે પત્નીને મરવા મજબુર કરવાના ગુનામાં પતિ સહીત બેનો નિર્દોષ છુટકારો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચુંપણી ગામમાં પત્નીને મરવા મજબુર કરવાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં આરોપી પતિ અનિલભાઈ ગોવિંદભાઈ મકવાણા અને જાગૃતિબેન કાળુભાઈ રાઠોડની ધરપકડ કરાઇ હતી અને આ કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં પતિ સહિતના બંને આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે

હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવ્યુ કે, ગત તા ૨૫/૧૦/૧૮ ના સવારના ૧૧ કલાકે ફરિયાદીની દીકરી હેતલબેને આપઘાત કર્યો હતો જેની ફરિયાદના આધારે આરોપી અનિલભાઈ ગોવિંદભાઈ મકવાણા અને જાગૃતિબેન કાળુભાઈ રાઠોડ જેની સાથે આરોપી અનિલભાઈને લગ્ન બહારના જાતીય સબંધ હતા તેઓની સામે હળવદ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ હતી જેથી તે બંનેની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ વી.એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપ આર. અગેચણીયા રોકાયેલ હતા જેને કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હતી જેમાં સરકારી સાહેદોએ તેમના મૌખિક પુરાવામાં ફરિયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનને સમર્થન આપ્યું નથી તેમજ સરકાર પક્ષ આરોપી સામે કેસ સાબિત કરવામાં તદન નિષ્ફળ ગયેલ છે તેમજ મરણ જનારને સતત અને એકધારો દુખ ત્રાસ હોય અને મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તો જ આ સેક્શન નીચે ગુનો બને છે સહિતની દલીલો તેમજ કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી દલીલો કરી હતી. જેથી કોર્ટે બંને પક્ષકારોની દલીલો સાંભળી બચાવ પક્ષના એડવોકેટની દલીલોને માન્ય રાખીને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે જે કેસમાં આરોપી તરફે જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપ આર. અગેચણીયા, યુવા એડવોકેટ જીતેન ડી. અગેચણીયા, જે.ડી. સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ જિંજવાડીયા અને ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા








Latest News