મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં આયોજિત શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં સોમવારે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવશે


SHARE













મોરબીમાં આયોજિત શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં સોમવારે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવશે

મોરબીમાં શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આચાર્ય ૧૦૦૮ કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવવાના છે જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબીમાં બિરાજતા ઘનશ્યામ મહારાજને ૧૫૦ વર્ષ થયાં છે જેથી કરીને આગામી તા. ૧૭થી ૨૩ સુધી ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું સનસિટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું છે તેમાં તા ૨૦/૫ ના રોજ પારાયણ દરમિયાન નરનારાયણદેવ ગાદી પીઠાધીપતિ આચાર્ય ૧૦૦૮ કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવશે અને રૂડા આશીર્વચન આપશે જેનો લાભ લેવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આવવા આયોજકોએ જણાવ્યુ છે




Latest News