મોરબીના સામાકાંઠા વિસ્તારમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા મોત
SHARE









મોરબીના સામાકાંઠા વિસ્તારમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા મોત
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસરમાં રહેતા યુવાને કોઈ કારણોસર ત્યાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભીમસર વિસ્તારમાં રહેતા વિકાસભાઈ રામવિનયભાઈ પાનતાપી (૨૧) નામના યુવાને કોઈપણ કારણોસર રાત્રીના પોણા આઠેક વાગ્યાના અરસામાં ભીમસરની શાળા પાસે ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તાત્કાલિક ૧૦૮ મારફતે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રણ જુગારી પકડાયા
મોરબીમાં લીલાપર નજીક આવેલ પેપરમીલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અક્ષયભાઈ ચતુરભાઈ દેવીપુજક, અજયભાઈ શાંતિલાલ દેવીપુજક અને સુનિલભાઈ પ્રેમજીભાઈ દેવીપુજક રહે બધા પેપરમીલની કોલોનીમાં લીલાપર પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૯૬૦ ની કિંમતની રોકડ કબજે કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
