હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નવોઢાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE













મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નવોઢાએ અણધાર્યું પગલું ભર્યું

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક મહિલાનો લગ્ન ગાળો એક મહિનાનો હોવાનું સામે આવ્યું છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ ઇટાવા કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ચંદ્રમોહન પિંગુંઆના પત્ની પિન્કીબેન ચંદ્રમોહન પિંગુંઆ (20) રહે. હાલ ઇટાવા કારખાનાના લેબર કવાર્ટરમાં પીપળી ગામ મૂળ રહે. ઝારખંડ વાળાએ લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તાત્કાલિક 108 ની ટીમને સ્થળ ઉપર બોલાવવામાં આવતા 108 ના સ્ટાફે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ તે મહિલાના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની અજયભાઈ માવજીભાઈ ભાટિયા (30) રહે. અવની પાર્ક સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો એક જ મહિનાનો છે જેથી મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં રહેતા મીનાબેન રમેશભાઈ દેવીપુજક (30) નામની મહિલાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી






Latest News