મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નવોઢાએ અણધાર્યું પગલું ભર્યું
મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા યુવાને ઘરમાં અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા યુવાને ઘરમાં અંતિમ પગલું ભર્યું
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કિશનભાઇ ભુપતભાઈ મકવાણા (34) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાત બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે જો કે, યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
બાઇક સ્લીપ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે રહેતા મહેશભાઈ બોઘાભાઈ કોળી (54) નામના આધેડ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે