હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
Breaking news
Morbi Today

વૃક્ષનું વાવેતર કરીને એક વૃક્ષ માઁ કે નામ # કરીને દરેક લોકો સોશ્યલ મીડિયામાં ફોટો મૂકે તો વૈશ્વિક લેવલે નોંધ લેવાશે:  સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા


SHARE













વૃક્ષનું વાવેતર કરીને એક વૃક્ષ માઁ કે નામ # કરીને દરેક લોકો સોશ્યલ મીડિયામાં ફોટો મૂકે તો વૈશ્વિક લેવલે નોંધ લેવાશે:  સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા

મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિ અને ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા “ચાલો ગાવ કી ઓર પ્રકૃતિ કે સાથ” અભિયાન મોરબી જીલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે અને તેની શરૂઆત મોરબી તાલુકાનાં બરવાળા ગામથી કરવામાં આવી છે ત્યારે રાજકોટ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, વિનુભાઈ રૂપાલા, ડી.એલ. રંગપરીયા, જયંતીભાઈ પટેલ, બગથળા નકલંક ધામના મહંત દામજી ભગત, સંસ્કારધામના શાસ્ત્રી સ્વામી જગત પ્રકાશ સ્વામી, સરપંચ ભરતભાઈ બાવરવા સહિતના હાજર રહ્યા હતા અને ગામમાં એક હજાર લોકોની વસ્તી છે જેથી એક હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો. અને આ વૃક્ષોનું જતન ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવશે. ત્યારે સંસાથના પ્રમુખ મનુભાઈ કૈલા, કમલેશભાઈ કૈલા અને જયંતીભાઈ વિડજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 10 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. અને આગામી 20 દિવસમાં 15 લાખના ખર્ચે 70 ગામોમાં પાંજરા સાથે 3000 જેટલા વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે કામમાં ગામના જ સ્વયં સેવકો સહકાર આપશે જેથી મોરબી જિલ્લાના હરિયાળી ક્રાંતિ આવશે. આ તકે સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાએ કહ્યું હતું કે, વૃક્ષનું વાવેતર કરીને “એક વૃક્ષ માં કે નામ” હેઝટેગ કરીને દરેક લોકો તેના ફોટો સોશ્યલ મીડિયામાં મૂકશે તો તેનું પરિણામ ખૂબ જ સારું અને અક્લ્પ્નિય આવશે તેમજ વૈશ્વિક લેવલે તેની નોંધ લેવામાં આવશે.  






Latest News