ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદમાંથી ગુમ થયેલ પરિણીતાની નર્મદાની કેનાલમાંથી લાશ મળી: ફોરેન્સિક પીએમમાં રાજકોટ લઈ ગયા


SHARE







હળવદમાંથી ગુમ થયેલ પરિણીતાની નર્મદાની કેનાલમાંથી લાશ મળી: ફોરેન્સિક પીએમમાં રાજકોટ લઈ ગયા

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતી મહિલા ઘરે કોઈને કશું કહ્યા વગર બે દિવસ પહેલા નીકળી ગયેલ હતી જેની શોધખોળ કરવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો ન હતી જેથી ગુમ થયેલ મહિલાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી તેવામાં મહિલાની નર્મદની કેનાલમાંથી લાશ મળી આવેલ છે અને બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા છે.

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતા મનોજભાઈ વાલજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (28)એ તેઓના પત્ની મંજુલાબેન મનોજભાઈ પરમાર (26) ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી અને તેમણે જણાવ્યુ હતું છે કે, ગત તા. 20/6 ના રોજ બપોરે 12.15 વાગ્યાના અરસામાં તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ચાલ્યા ગયેલ છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગ્યો નથી જેથી કરીને ગુમ થયેલ મહિલાના પતિએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં ગુમ થયેલ મંજુલાબેન મનોજભાઈ પરમારની લાશ આજે નર્મદા કેનાલમાંથી મળી આવી છે જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.






Latest News