મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

હળવદમાંથી ગુમ થયેલ પરિણીતાની નર્મદાની કેનાલમાંથી લાશ મળી: ફોરેન્સિક પીએમમાં રાજકોટ લઈ ગયા


SHARE













હળવદમાંથી ગુમ થયેલ પરિણીતાની નર્મદાની કેનાલમાંથી લાશ મળી: ફોરેન્સિક પીએમમાં રાજકોટ લઈ ગયા

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતી મહિલા ઘરે કોઈને કશું કહ્યા વગર બે દિવસ પહેલા નીકળી ગયેલ હતી જેની શોધખોળ કરવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો ન હતી જેથી ગુમ થયેલ મહિલાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી તેવામાં મહિલાની નર્મદની કેનાલમાંથી લાશ મળી આવેલ છે અને બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા છે.

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતા મનોજભાઈ વાલજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (28)એ તેઓના પત્ની મંજુલાબેન મનોજભાઈ પરમાર (26) ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી અને તેમણે જણાવ્યુ હતું છે કે, ગત તા. 20/6 ના રોજ બપોરે 12.15 વાગ્યાના અરસામાં તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ચાલ્યા ગયેલ છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગ્યો નથી જેથી કરીને ગુમ થયેલ મહિલાના પતિએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં ગુમ થયેલ મંજુલાબેન મનોજભાઈ પરમારની લાશ આજે નર્મદા કેનાલમાંથી મળી આવી છે જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.






Latest News