ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકનું મોત


SHARE













હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકનું મોત

હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની માળિયા બ્રાંચ કેનાલમાં એક શ્રમિક ડૂબી ગયો હતો જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતકની બોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલ હતી અને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનવાની હળવદ પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં નવા માલણીયાદ પાસેથી પસાર થતી નર્મદાની માળિયા બ્રાંચ કેનાલમાં ઘણાંદ ગામની સીમ પાસે જયંતીભાઈ ગોવિંદભાઈની વાડી રહેતા અને મજૂરી કામ કરતાં રાજુભાઈ અમરશીભાઈ પગ લપસતા કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલ યુવાનને શોધવા માટે હળવદ પાલિકાની ટિમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી અને નવા માલણીયાદ પાસેથી કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકની બોડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને લાશને પીએમ માટે હળવદની હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News