ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણી માટેની 120 નંગ બોટલો અપાઈ


SHARE













મોરબીના શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણી માટેની 120 નંગ બોટલો અપાઈ

મોરબીના શિવધુન મંડળ રવાપર ક્રિષ્ના સ્કૂલ પાસે વાળા દ્વારા લક્ષ્મીનગર મુકામે પ્રજ્ઞાચક્ષુઓને 120 નંગ એક લિટરની ઠંડા પાણીની  બોટલ આશરે 51,000 રૂપિયાની ભેટ આપવામાં આવેલ છે. પ્રજ્ઞાચક્ષુઓને કામે જાય ત્યારે પીવાનું ઠંડુપાણી મળે તે હેતુથી આ બોટલો આપવામાં આવેલ છે.

મોરબીના શિવધુન મંડળ પરિવાર દ્વારા જુદાજુદા સેવાકીય કાર્ય કરવામાં આવે છે. જેવા કે, આપણી પ્રાચીન સંસ્ક્રુતિ મુજબ સવારમાં પ્રભાત ફેરી અને તેના થકી એકત્રીત થતા અનુદાનમાંથી  તે જ દિવસે જુદી જુદી ગૌશાળામાં ગાયોને ઘાસચારો આપવામાં એ છે. તેમજ એકત્રીત થતું અનાજ દરરોજ પક્ષીઓને સવાર  સાંજ 20 કિલોથી વધુ ચણ નાખવામાં આવે છે તેમજ સરકારી હોસ્પિટલમાં જઈ પ્રસુતિ વિભાગમાં મહિનામાં 10 થી 20  દિવસ કાટલાવાળા  લાડવા પ્રસાદ રૂપે છેલ્લા પાંચ વર્ષથી આપવામાં આવે છે અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રાશન કીટ પણ જરૂરિયાત મુજબ આપવામાં આવે છે. તથા શોભેસ્વર રોડે અનાથ આશ્રમ તેમજ વૃદ્ધા આશ્રમમાં જરૂરી રાશન કીટ, કર્તવ્ય જીવદયા કેન્દ્રામાં બીમાર પક્ષીઓ માટે મેડિકલ કીટ (દવાઓ), રવાપર  ઘુનડા રોડ ઉપર ઝૂંપડપટીમાં જઇ નાના બાળકોને બટુક ભોજન સહિતની સેવા કરવામાં આવે છે.






Latest News