મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્રની શુધ્ધ પાણી પીવાની સુફિયાણી સલાહ, બંધ ફિલ્ટર હાઉસ ચાલુ કરવાનું તસ્દી લેતા નથી !


SHARE













મોરબીમાં તંત્રની શુધ્ધ પાણી પીવાની સુફિયાણી સલાહ, બંધ ફિલ્ટર હાઉસ ચાલુ કરવાનું તસ્દી લેતા નથી !

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો હોય છે જેને  અટકાવવો ખૂબ જરૂરી છે અને લોકો સ્વયંભૂ કાળજી લે. મોરબી જિલ્લાના ગ્રામ્ય તથા શહેરીજનોને સુરક્ષિત રહે તે માટે પાણીજન્ય રોગોથી બચવા માટે કેટલાક સૂચનો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં શુદ્ધ પાણી પીવાનું કહેવામા આવે છે જો કે, તંત્ર ફિલ્ટર કર્યા વગર જ પાણી આપે છે તેનું શું તે સવાલ ઉઠી રહ્યો છે.

હાલમાં તંત્ર દ્વારા સુરક્ષિત પાણી પીવા માટે કહેવામા આવ્યું છે અને ખાતરી કરો કે તમારું પીવાનું પાણી ટ્રીટેડ અને શુદ્ધ છે. તેમજ પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે જો કે, પાલિકાનો સમાકાંઠે વિસ્તારમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેનું  શું તે જોવાની તસ્દી કોણ લેશે તે સવાલ ઉઠી રહયો છે. અને દૂષિત પાણીના સ્ત્રોતો તળાવો, નદીઓ અથવા કુવાઓ જેવા અજાણ્યા અથવા અનહાઇજીનીક સ્ત્રોતોમાંથી પીવાનું પાણી ન લેવા માટેની સલાહ આપવામાં આવેલ છે. જો કે, સામાકાંઠા વિસ્તારમાં આવેલ ફિલ્ટર હાઉસની સફાઈ કોણ કરાવશે તે સૌથી મોટો સવાલ છે. તેમજ ફળો અને શાકભાજી ધોઈને ખાવા, કાચા અથવા ઓછા રાંધેલા માંસ, સીફૂડ અને ઈંડાને ટાળો, હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, પાણી શુદ્ધિકરણની ગોળીઓ અથવા ફિલ્ટરનો ઉપયોગ કરો, તબીબની સલાહ બાદ બજારમાં ઉપલબ્ધ કોલેરા, ટાઈફોઈડ અને હેપેટાઈટીસ A જેવા પાણીજન્ય રોગો સામે રસી લેવાનું વિચારો તે સહિતના સુફિયાણી સલાહ આપવામાં આવી છે જો કે, તંત્રની જે બેદરકારી છે તેના માટે કોઇની સામે પગલાં લેવામાં આવશે કે નહીં તે તો આગામી સમયમાં બતાવશે.






Latest News