જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર નજીક આવેલ કારખાનામાં રહેતા પરિવારના સગીર બાળકનું ઝાડા ઉલટીની બીમારીમાં મોત


SHARE













વાંકાનેરના સરતાનપર નજીક આવેલ કારખાનામાં રહેતા પરિવારના સગીર બાળકનું ઝાડા ઉલટીની બીમારીમાં મોત

વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા સગીરને ઝાડા ઉલટીની બીમારી હતી અને વધુ અસર થતા તેને બેભાન હાલતમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ આસામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ વરમોરા યુનિટ-2 માં કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા બજલ મુર્મુ જાતે અનુ.જનજાતિ ના 16 વર્ષના દીકરા બુદરાઇ બજલ મુર્મુને છેલ્લા ત્રણેક દિવસથી ઝાડા ઉલટીની બીમારી હતી અને તેને વધુ અસર થતા તે બેભાન થઈ ગયો હતો જેથી તેને બેભાન હાલતમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી. અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News