તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી


SHARE















મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી

ચારેય વેદોનું ગુજરાતીમાં અનુવાદ કરનાર જાણીતા આયુર્વેદ નિષ્ણાત અને ટંકારાના વતની એવા પદ્મશ્રી દયાળજી પરમાર (દયાળ મુનિ)નું અવસાન થયું છે. ત્યારે ગુજરાત સરકારના માજી મંત્રી અને મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ દયાળમુનિને ભાવાંજલિ અર્પણ કરી હતી.

દયાળ મુનિના નિધન અન્વયે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, જીવતે જીવ તેઓ સાથે અનેક વખત મળવાનો અને સંવાદ કરવાનો લાભ મળ્યો છે. તે જિંદગીનું એક યાદગાર સંભારણું બની રહેશે. ટંકારાની પવિત્ર માટીની મહેક એવા મહામાનવ પદ્મશ્રી દયાળ મુનિ દેવલોક પામ્યાના સમાચાર જાણીને મેં ભારે મોટો ખાલીપો અનુભવ્યો છે. દયાળ મુનિ આયુર્વેદના નિષ્ણાત હતા તેમજ ભારતના પ્રાચીન ગ્રંથો જેવા કે સામવેદ, અજુર્વેદ, ઋગ્વેદ અને અર્થરવેદનો અનુવાદ માતૃભાષા ગુજરાતીમાં કરીને એક કિંમતી ભેટ આપી ચુક્યા છે. ભારત સરકારે તાજેતરમાં તેમને પદ્મશ્રીથી વિભૂષિત કર્યા હતા. વધુમાં બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું કે, મેં ઋષિમુનિ સદેહે જોયા નથી પરંતુ સફેદ વસ્ત્રમાં દયાળ મુનિ આચાર વિચાર અને જીવનશૈલીમાં ઋષિ જોવા મળ્યા, આ પરંપરાને આજીવન તેઓ વળગી રહ્યા. આવા મહા માનવની ધરતી ઉપરની ખોટ અવશ્ય ગુર્જર ગીરાને સાલશે.




Latest News